________________
(ઉપયોગ (ધ્યાન) જ્યારે પરમાત્મા આકારે પરિણમે છે ત્યારે જીવ પરંપરાનો અંત આવે છે અને કેવળ જ્ઞાન આદિ નવજ્ઞાયિક લબ્ધિઓ રૂપ નવનિધાનની પ્રાપ્તિ થાય છે.
જે વિશુદ્ધ મન ધર તુમે આપા, પ્રભુતો અમે નવનિધિ દ્ધિ પાયા. ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, છેદ કરશું હવે ટેકે; ખીર નીર પર તુમશું મીલશું, વાચક થરા કહે હેજે હળશું.”
જે સમયે ધ્યાતાનું ચૈતન્ય ધ્યેય(પરમાત્મા)માં નિષ્ઠ થઈ જાય છે, ધ્યાતાનો ઉપયોગ (ધ્યાન) Àયાકાર પરિણમે છે, ધ્યાતા જ્યારે ધ્યેયમાં તદાકાર રૂપે તન્મય-તતૂપ બને છે, ત્યારે ધ્યાતા અને ધ્યેય વચ્ચેના ભેદનો છેદ થઈ, ધ્યાતા પોતે જ આગમથી ભાવનિક્ષેપે પરમાત્મરૂપ થાય છે.
જેવી રીતે દૂધમાં સાકર નાખીએ છીએ અને તે દૂધમાં એકમેક થઈ જાય છે, તે રીતે “ખીર-નીર પેરે તુમશું મિલશું” એટલે કે હૈ વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ! તમારા આવા અભેદ મિલન દ્વારા અમે પણ “હેજે હળશું” એટલે પરમાનંદનો અનુભવ કરીશું. અર્થાત્ તાત્ત્વિક દષ્ટિએ તમારું અભેદ મિલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મ અનુભવની દિવ્ય પ્રક્રિયા છે.
આવી આત્મ અનુભવની પ્રક્રિયા પૂ. ઉપાધ્યાયજી મહારાજની કૃતિઓ, તેમણે રચેલી સ્તુતિ, સ્તવનો સ્તોત્રોમાં શ્રીપાલ રાસ જેવા મહાકાવ્યમાં વારંવાર આવે છે. આત્મસ્વરૂપ રમણતા અને આત્મસાક્ષાત્કારની અવસ્થામાં રહેલા તે મહાપુરુષે સાધકોને તે દિશામાં જવાનો અદ્ભુત માર્ગ આ રીતે બતાવ્યો છે. જિન આગમનાં પરમરહસ્યો આ મહાપુરુષે જિનમંદિરોમાં પ્રદક્ષિણા અને ખમાસમણની વિધિમાં ગોઠવીને જૈન શાસનની આત્મ અનુભવની પ્રક્રિયાને જીવંત રાખી મહાન ઉપકાર કર્યો છેઃ
અરિહંત પદધ્યાતો થકો, દાવહ ગુણ પાય રે; ભેદ છેદ કરી આત્મા, અરિહંત રૂપી થાય રે. મહાવીર જીનેશ્વર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે, આત્મ ધ્યાને આત્મતા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. વિરે જીનેશ્વર ઉપદિશે.”
કરુણાસાગર પ્રભુ મહાવીરસ્વામીનો દેશના રૂપે શ્રીપાલના રાસમાં લખેલ અને જે આધારે પ્રદક્ષિણા અને ખમાસમણની વિધિમાં સર્વત્ર ગવાય છે તે
( યશોભારતી n h૮ )