________________
બીજા પ્રકારમાં અમૂર્ત ભાવોને મૂર્ત કરીને તેમનામાં માનવીય ભાવોનું આરોપણ કરીને વિકસાવેલી એક વિશિષ્ટ પદ્ધતિ છે.
આ પદ્ધતિનું સૌ પ્રથમ મંડાણ કરનાર છે ઉદ્યોતનસૂરિ. કુવલયમાલામાં તેમણે ક્રોધ, માન, લોભ, માયા વગેરે અમૂર્ત ભાવોનું માનવીકરણ કર્યું છે, અને ત્યાર પછી પરવર્તી જૈન સાહિત્યમાં આનો વિશાળ રાજમાર્ગ શરૂ થયો.
આ રૂપકસાહિત્યને તેની ચરમ સીમાએ પહોંચાડવાનો યશ ઉપમિતિભવપ્રપંચાકથા' દ્વારા સિદ્ધર્ષિ ગણિને ફાળે જાય છે. તો એ જ વિરાટ | કુતિને સંક્ષિપ્ત કરી, કથાસાર મહાકાવ્ય જેવા નવતર સ્વરૂપે મૂકવાનું માન વૈરાગ્યકલ્પલતા” દ્વારા ઉપા. યશોવિજયજીને ફાળે જાય છે.
સિદ્ધર્ષિ ગણિકૃત ઉપમિતિભવપ્રપંચકથાને ડૉ. યાકોબીએ ભારતીય સાહિત્યની The first Allegorical work – પ્રથમ રૂપક કૃતિ કહી છે તો ધશોવિજયકૃત વૈરાગ્યકલ્પલતા ભારતીય સાહિત્યમાં સર્વોત્તમ સંસ્કૃત કથાસાર મહાકાવ્ય છે.
વૈરાગ્યકલ્પલતાનું કથાવસ્તુ, પાત્રો, પ્રસંગો, આંતરિક ભાવનાઓ, સિદ્ધાંત પ્રદર્શન, વર્ણનપરંપરા, કથયિતવ્ય – આ બધું જ ઉપમિતિ અનુસાર જ છે. છતાં વૈરાગ્યકલ્પલતામાં યશોવિજયજીએ પોતાની અસાધારણ વિદ્વત્તા પ્રકટ કરવા કેટલાંક નવસર્જનો – પરિવર્તનો કરીને મૌલિકતા રજૂ કરી છે, તોપણ કહેવું જોઈએ કે તેઓ મૂલ કૃતિની પ્રભાવક અસરમાંથી મુક્ત થઈ શક્યા નથી. મોતીચંદ કાપડિયાએ યોગ્ય જ કહ્યું છે કે : યશોવિજયજીના ગ્રંથયુગલમાં ઉપમિતિનો ટૂંકો સાર જાણે કે સિદ્ધર્ષિએ જ લખ્યો હોય તેવી પદ્યરચના છે.
આમ છતાં યશોવિજયજીની અસાધારણ વિદ્વત્તા, મૌલિક સર્જન-શક્તિ અને વિશેષ તો જૈનશાસનની સર્વોત્તમતાદર્શક રજૂઆત-શક્તિનાં દર્શન થાય છે. તેથી સૂક્ષ્મતાથી જોનારને સંક્ષેપમાં નવસર્જનના અંશો અવશ્ય જણાશે.તેમનું નવસર્જન આ રીતે જોઈ શકાય .
વૈરાગ્યકલ્પલતાનો પ્રથમ સ્તબક યશોવિજયજીનું મૌલિક સર્જન છે. આ આખોય સ્તબક તેમની પરિણત પ્રજ્ઞા અને અધ્યાત્મ તરફના અનુરાગનું સુફળ છે. વૈરાગ્યકલ્પલતાનો આ પ્રસ્તાવરૂપ સ્તબક નવસર્જન હોવાથી ઉપમિતિમાં આઠ પ્રસ્તાવ છે જ્યારે વૈરાગ્યકલ્પલતામાં નવ સ્તબક છે.
ઉપમિતિના પ્રથમ પ્રસ્તાવ અને વૈરાગ્યકલ્પલતાના પ્રથમ તબકમાં એક
વરાળ્યાભવનો n h૫૮ OF