________________
પાયાની જરૂરિયાત બની રહે છે. ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર વ. નામોથી પણ ઓળખાય છે. હવે જૈન પરંપરામાં “અનેકાન્ત એ શ્રુતપ્રમાણ છે; તે દ્રવ્યાર્થિક - પર્યાયાર્થિક બે દષ્ટિઓ ઉપર અવલંબિત છે. એ બન્ને દષ્ટિએ અનુક્રમે સામાન્યબોધ અને વિશેષબોધને લીધે પ્રવર્તે છે. આ બન્ને પ્રકારના બોધો જૈનશાસ્ત્રમાં અનુક્રમે દર્શન અને જ્ઞાનથી ઓળખાય છે. જૈન દર્શનની આગમ પરંપરામાં શરૂઆતથી જ એક એવો મત પ્રસિદ્ધ હતો કે દર્શન અને જ્ઞાન બન્નેની ઉત્પત્તિ ક્રમથી થાય છે. આગમ પરંપરાના આ મત સામે એવો મત ચાલ્યો કે દર્શન અને જ્ઞાન બન્નેની ઉત્પત્તિ ક્રમથી નથી થતી પરંતુ સાથે જ થાય છે. આ બન્ને મતોની સામે એક ત્રીજો મત આવ્યો જેનાં દર્શન અને જ્ઞાનનો અભેદ દર્શાવાયો. આમ દર્શન અને જ્ઞાન સંબંધમાં આગમપરંપરા પ્રમાણેનો મત એ રહ્યો કે દર્શન અને જ્ઞાન ભિન્ન છે અને બન્ને એક સાથે ઉત્પન્ન ન થતાં ક્રમશઃ અર્થાત્ એક એક સમયના અંતરે ઉત્પન્ન થાય છે. વાચક ઉમાસ્વાતિ પહેલાંના બધા જ આચાર્યો અને ખાસ તો જિનભદ્રગણિ તેમ જ ક્ષમાશ્રમણ વ. આ મતના આગ્રહી જણાય છે. આ મત “ક્રમવાદ' તરીકે ઓળખાયો. દર્શન અને જ્ઞાન સંબંધી જે બીજો મત છે તે પ્રમાણે બન્ને ઉપયોગ ભિન્ન હોવા છતાં ઉત્પત્તિ ક્રમિક ન થતાં એક સાથે જ હોય છે. આચાર્ય મલ્લીવાદી આ મતના ખાસ આગ્રહી છે અને આ મત “સહવાદ' તરીકે ઓળખાયો. ઉપર્યુક્ત બન્ને મતોની સામે સિદ્ધસેન દિવાકરનો ત્રીજો મત જેમાં દર્શન અને જ્ઞાનનો અભેદ બતાવ્યો છે તે “અભેદવાદ' તરીકે ઓળખાય છે. આ આખો મુદ્દો, જૈન પરંપરામાં જોવા મળતી બન્ને શ્વેતાંબરીય અને દિગંબરીય પરંપરાઓમાં વાત્મયનો આખો ઇતિહાસ, શ્રી યશોવિજયજી માત્ર ઐતિહાસિક રીતે જ નહિ | પણ એકવિદ્વાન બહુશ્રુતને શોભે તે રીતે ચર્ચે છે. તેઓ ત્રણે મતોનાપુરસ્કર્તાની વાત સ્પષ્ટ કરે છે અને સમગ્ર ચર્ચાના અંતે તેના તાત્પર્ય અને સ્વોપજ્ઞ વિચારણારૂપે બે મુદ્દાઓનો ઉલ્લેખ કરે છે. એક તો એ કે પોતે “અભેદવાદ'ના પક્ષમાં છે અને બીજો મુદ્દો એ કે નયભેદની અપેક્ષાએ ત્રણે પક્ષનો સમન્વય શક્ય છે. ઉ. શ્રીમદ્ યશોવિજયજીએ પોતાના “જ્ઞાનબિન્દુ' નામના ગ્રંથમાં આ સમસ્યાના સમાધાનમાં સમન્વયાત્મક દષ્ટિબિંદુને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે “ક્રમિકવાદનું ઋજુસૂત્રનયથી પ્રતિપાદન થાય છે; “સહવાદનું વ્યવહારનયથી પ્રતિપાદન થાય છે અને “અભેદવાદ'નું સંગ્રહાયથી પ્રતિપાદન થાય છે. આમ ખૂબજતાર્કિક ૭ સન્મતિ પ્રકરણ – સં.પં. સુખલાલજી પા. ૧૭-૧૮
( ઘર્ણમિક પ્રતિભા ૧૪૯