________________
તેમાંતત્ત્વનો પાર પામતો નથી. જડતાંઅને મતાંધતા પર આ બન્ને મહાપુરુષો સખત પ્રહાર કરે છે.યશોવિજયજીયશવિલાસ'નાસુડતાલીસમાપદમાં કહે છે –..
“પ્રભુ ગુન ધ્યાન વિગર ભ્રમ ભૂલા,
કરે કિરિયા સો રાને રૂના.” જ્યારે આનંદઘન પણ આવી જડ ક્રિયાનો વિરોધ કરતાં કહે છે - નિજ સરપ જે કિરિયા સાથિઈ, તે અધ્યાતમ લહઈ રે, જે કિરિયા કરિ ચોગતિ સાધઈ, તે અનુધ્યાતમ કહીયે રે.”
(સ્તવન : ૧૧, ગાથા: ૩) આ સાધકો તો સંસારથી ઊફરા ચાલતા હતા. આનંદઘનજીએ ચાર ગતિરૂપ ચોપાટની એક સુંદર કલ્પના કરી છે. આમાં ચેતન પોતે રાગ, દ્વેષ અને મોહનાં પાસાં પોતાને હિતકર છે એમ માનીને, આ ચોપાટ ખેલે છે. પણ પારકી આશા એ સદા નકામી છે. આનંદઘન તો સ્પષ્ટ કહે છે કે, “આશા ઓરનકી
ક્યા કીજે? જ્ઞાન સુધારસ પીજે.” એ જ રીતે શ્રી યશોવિજયજી “જ્ઞાનસારના 'બારમા “નિઃસ્પૃહાક' માં લખે છે -
પોતાના સ્વભાવ - નિજ ગુણની પ્રાપ્તિ ઉપરાંત બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય નથી એવી રીતે આત્મ ઐશ્વર્યથી સંપન્ન મહામુનિ તદ્દન નિઃસ્પૃહ થઈ જાય છે. બિચારા પારકી આશાવાળા પ્રાણીઓ હાથ જોડી જોડીને પ્રાર્થના કરે છે. ઘરે ઘરે ભિક્ષા માગે છે, પરંતુ અનંત જ્ઞાનપાત્ર પ્રાણી તો આખા જગતને તણખલા તુલ્ય જુએ છે.”
આનંદઘનજીના હૃષભ જિન સ્તવનમાં પ્રીતમ ઋષભ જિનેશ્વર સાથે પ્રીતિસગાઈ થઈ હોવાથી એને જગતની સોપાધિક પ્રીતિ પસંદ નથી. એ જ રીતે ઉપાધ્યાય યશોવિજયજી શ્રી શાંતિનાથ જિનસ્તવનમાં કહે છે
જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમે છે”
માત્ર વેશ પહેર્યે સાધુ થવાતું નથી. જે ખરો આત્મજ્ઞાની છે એ જ સાચો સાધુ છે. આનંદઘનજી શ્રીવાસુપૂજ્ય જિનસ્તવનની છઠ્ઠી ગાથામાં કહે છે કે જે આત્મજ્ઞાની નથી, તે માત્ર વેશધારી છે. બાહ્ય દષ્ટિએ મુંડન કરાવ્યું એથી કાંઈ 1 વળે નહિ. અંતરનો આત્મા ગુણોથી સમૃધ્ધ થવો જોઈએ. આવી જ રીતે આનંદઘનજીની માફક યશોવિજયજી પણ કહે છે:
“મુંડ મુંડાવત્ત સબ હી ગડરીઆ, હરિશ રોઝ બન ધામ, જટાધાર વટ ભસ્મ લગાવત, રાસભ સહતું તે ઘામ.
ન છે સમાણીનો ૧૫૧ )