________________
કૃપાની યાચના કરતાં કરતાં તેઓ, સામાન્ય રીતે, છેલ્લી એક-બે કડીમાં તે તેને જિનેશ્વરોનાં માતાપિતા, લાંછન ઇત્યાદિનું સ્મરણ કરે છે.
કવિએ અન્ય કેટલાંક સ્તવનોની જે રચના કરી છે તે જુદી જુદી રાગરાગિણીઓમાં છે, અને તેની ભાષા વ્રજ છે. આ સ્તવનોમાં કવિની વાણી માધુર્ય અને પ્રસાદ ગુણથી વિશેષ ઝળકે છે. વિશિષ્ટ જિનસ્તવનોમાં તે તે સ્થળવિશેષનો અને તેના મહિમાનો પણ કવિએ નિર્દેશ કર્યો છે.
શ્રી સીમંધરસ્વામીના સવાસો ગાથાના સ્તવનમાં આરંભમાં કવિએ શ્રીસીમંધરસ્વામીને વિનંતી કરીને કુગુરુઓનાં અનિષ્ટ આચરણો પર પ્રહાર કર્યો છે. આવા કુગુરુનાં વચનમાં લોકો ફસાયા છે તેમને એક સદ્ગુરુ જ સાચો બોધ આપે છે. કવિએ આ સ્તવનમાં આત્મદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ, સાચી જ્ઞાનદશાનું મહત્ત્વ, નિશ્ચય અને વ્યવહારની આવશ્યકતા ઇત્યાદિ સ્પષ્ટતાથી સમજાવ્યાં છે. અને દ્રવ્ય-ભાવ સ્તવનું નિરૂપણ કરી, જિનપૂજા અને તેમાં પણ સાચી ભક્તિનું રહસ્ય સમજાવી સ્તવન પૂરું કર્યું છે.
શ્રીવીરસ્તુતિરૂપ દોઢસો ગાથાના હૂંડીનાસ્તવનમાં કવિએ જિન-પ્રતિમાની પૂજા કરવામાં ન માનવાવાળાના મતનો પરિહાર કર્યો છે. આ સ્તવનમાં કવિએ જિનપ્રતિમાની પૂજાનેલગતાં પ્રાચીનવ્યક્તિઓનાંઘણાંદષ્ટાંતો આપ્યાં છે.
શ્રી સીમંધરસ્વામીના સિદ્ધાંત વિચારરહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કવિ સીમંધરસ્વામીને વિનંતી કરે છે કે “હે ભગવાન ! કૃપા કરીને મને શુદ્ધ માર્ગ બતાવો. આ કલિયુગમાં લોકો અંધશ્રદ્ધાપૂર્વક વર્તી રહ્યા છે. સૂત્ર વિરુદ્ધ આચાર ચાલી રહ્યા છે. અને છતાં પોતે સાચા માર્ગે ચાલે છે એમ બતાવી ભોળા લોકને ભોળવી રહ્યા છે.” કવિએ આ સ્તવનમાં અજ્ઞાની લોકોની અંધશ્રદ્ધા પર અને કગરના વર્તન પર સખત પ્રહારો કર્યા છે. માત્ર કષ્ટ કરવામાં જ મુનિપણું રહેલું જેઓ માને છે તેને માટે કવિ લખે છેઃ
જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાય તો સારો;
ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો. આવા મુનિઓ અને તેમનાં આચરણો ઉઘાડાં પાડી કવિએ ઉત્તમ મુનિઓનું ચિત્ર પણ દોર્યું છે.
વિવિધ દેશીઓમાં રચાયેલા ૧૭ ઢાળના આ સ્તવનમાં કવિએ તત્કાલીન લોકો અને મુનિઓનાં આચરણો, ભમભર્યા વિચારો ઈત્યાદિનું નિર્ભયતાપૂર્વક સાચું ચિત્ર દોર્યું છે, જેમાંથી કોઈ પણ યુગના માત્ર મુનિઓએ જ નહિ, લોકોએ
( યશોભારતી n ૧૩૦ )