________________
અખંડ વસ્તુ તત્ત્વના જ્ઞાનથી રહિત એવા બહુશ્રુત-ઘણા વિદ્વાનું તથા ઘણા લોકપ્રિય તથા સેંકડો શિષ્યોના પરિવારથી પરિવરેલા કહેવાતા ગુરુઓના બાહ્ય ઠાઠમાઠથી ને વાગાબરથી અંજાઈ જનારા મુગ્ધ જનોને તેવા અજ્ઞાનીઓથી ભોળવાઈ ન જવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.
કોઈ લોકો એમ કહે છે કે, “લોકાદિક કષ્ટ કરી અમે ભિક્ષાવૃત્તિ કરીએ છીએ તે મુનિમાર્ગ છે,” તેનો શ્રી યશોવિજયજી જવાબ આપે છે કે, તે માનવું મિથ્યા છે, કારણ કે સાચા મુમુક્ષુપણા વિના-આત્માર્થીપણા વિના જનમનની અનુવૃત્તિએ ચાલવું, જનમનરંજન કરવું, લોકને રૂડું દેખાડવા પ્રવર્તવું, તે માર્ગ હોય નહિ. વળી જે માત્ર કષ્ટ કરીને જ મુનિમાર્ગ પ્રાપ્ત થઈ જતો હોય, તો બળદ પણ સારો ગણાવો જોઈએ, કારણ કે તે બાપડો ભાર વહે છે, તડકામાં ભમે છે ને ગાઢ પ્રહાર ખમે છે ! માટે માત્ર બાહ્ય કાયફલેશાદિકથી કાંઈ મુનિપણું આવતું નથી અને તેવા પુરુષની જે ભિક્ષા છે તે બલહરણી પૌરુષની ભિક્ષા છે.
જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાય તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો. ૨ જિનજી ! લહે પાપ અનુબંદી પાપે, બલહરણી જિન ભિક્ષા; પૂરવ ભવ વ્રત ખંડન ફલ એ, પંચ વસ્તુની શિક્ષા.રે જિનજી!”
વળી કોઈ એમ કહે છે કે, “અમે લિંગથી તરીશું, મુનિનો-સાધુનો, વેષ, દ્રવ્યલિંગ અમે ધારણ કર્યું છે તેથી તરીશું; અને જૈન લિંગ એ સુંદર છે.” તો તે વાત મિથ્યા છે – ખોટી છે, કારણ કે ગુણ વિના તરાય નહિ, તથારૂપ મુનિપણાના-સાધુપણાના-નિગ્રંથપણાના-શ્રમણપણાના ગુણ વિના તરાય નહિ, જેમ ભુજા વિના તારો ન કરી શકે તેમ, તેમ જ કોઈ નાટકિયો-વેષવિડંબક ખોટો સાધુનો વેષ પહેરીને આવે, તો તેને નમતાં જેમ દોષ છે, તેમ સાધુગુણ રહિત એવા વેષવિડંબકને-સાધુવેષની વિડંબના કરનાર જાણીને નમીએ તો દોષનો પોષ જ છે.
“કોઈ કહે અમે લિંગે તરશું, જૈન લિંગ છે વાર; તે મિથ્યા-નવિ ગુણ વિણ તરિયે, ભુજ વિણ ન તારે તારુ.જિનાજી! ફૂટ લિંગ જિમ પ્રગટ વિડંબક, જાણી નમતાં દોષ; નિબંધસ (?) જાણીને નમતાં, તિમ જ કહ્યો તસ પોષ.૨ જિનજી!” ઈત્યાદિ અનેક પ્રકારે તેઓશ્રીએ સમાજનો સડો સાફ કર્યો છે, લોકોની
---- વસીવિજાઇ n ૧૨૫
)