________________
મહાજન કહો છો, તે તો જિનાજ્ઞા-જિનશાસન પાળતા હોય તે “મહાજન' છે, બાકી માત્ર મુખે શાસન-શાસનની બાંગ મારતા હોય તે મહાજન નથી. જેની પૂંઠે ટોળું ચાલતું હોય એવો અજ્ઞાની ભલે ગચ્છને ચલાવનારો-આચાર્ય કહેવાતો હોય, તોપણ તે મહાજન નથી, એવું ઘર્મદાસ ગણિનું વચન વિચારી, મનને, ભોળું મ કરો!
“આર્યથોડાઅનારજજનથી,જૈન આર્યમાંથોડા; તેમાં પણ પરિણતજનથોડા, શ્રમણઅલપ-બહુમોડા.રે જિનાજી! અજ્ઞાની નવિ હોવે મહાજન,જોપણચલવેટોળું; ધર્મદાસ ગણી વચન વિચારી,મનનવિકી જેભોળું રેજિનજી!”
ભગવાન આજ્ઞાએ યથાતથ્યપણે ચાલતો એવો એક જ સાધુ હોય, એક જ સાધ્વી હોય, એક જ શ્રાવક હોય, એક જ શ્રાવિકા હોય તોપણ તે આજ્ઞાયુક્તને
“સંઘ” નામ ઘટે છે, બાકી તો અસ્થિસંઘાત છે, એમ શ્રી ભ દ્રબાહુસ્વામીજીએ “આવશ્યક સૂત્ર'માં કહ્યું છે, માટે નિજ ઇદે-સ્વછંદે ચાલતો હોય તે અજ્ઞાની છે, ને તેની નિશ્રાએ ચાલનારા પણ અજ્ઞાની છે. આવો અજ્ઞાની જે ગચ્છનો ઘણીરણી થઈ પડી ગચ્છને ચલાવે તો તે અનંત સંસારી છે. જે ખંડખંડ પંડિત હોય – ઈઘર ઉઘર કંઈ જાણવાવાળો હોય” તે કાંઈ જ્ઞાની નથી. જ્ઞાની તો જે નિશ્ચિત સમય જાણે તે છે, એમ “સંમતિસૂત્ર'માં સ્પષ્ટ કહ્યું છે. બાકી જો સમયનો-સિદ્ધાંતરૂપ અખંડ વસ્તુનો વિનિશ્ચય ન હોય, તો જેમ જેમ બહુશ્રુતને, બહુજનને સંમત-માનીતો હોય અને જેમ જેમ ઝાઝા શિષ્ય પરિવારથી પરિવરેલો હોય, તેમ તેમ તો જિનશાસનનો વૈરી છે-દુશ્મન
અજ્ઞાની નિજ છંદે ચાલે, તસ નિશ્રાયે વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તો અનંત સંસારી. ૨ જિનજી! ખંડ ખંડ પંડિત જે હોવે, તે નવિ કહિયે નાણી; નિશ્ચિત સમય લહે તે નાણી, સંમતિની સહિનાણી. રેજિનાજી જિમ જિમ બહુ શ્રત બહુજનસંમત, બહુશિષ્ય પરવરિયો; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય દરિયો. રેજિનજી!”
ઈત્યાદિ વચનોથી તેઓશ્રીએ લોકોની અંધશ્રદ્ધા પર સખત કુઠાર-પ્રહાર કર્યો છે અને પોતાની પાછળ મોટું ટોળું ચલાવનારા અજ્ઞાની ગચ્છાધિપતિઓને મહાજન માનનારાઓની ભ્રાંતિ ભાંગી નાખી છે તેમ જ નિશ્ચય જ્ઞાનથી રહિત
શોભારતી n ૨૪ }