________________
કૃતિઓના આત્યંતર દર્શન પરથી વિચક્ષણ વિવેકીઓ અનુમાની શકે છે. તેમની એક એક કૃતિ એવી અમૂલ્ય અને અપૂર્વ તત્ત્વસંભારથી ભરેલી છે કે, તે પ્રત્યેકનું વિહંગાવલોકન કરવા માટે પણ અનેક લેખમાળા જોઈએ; પણ અત્રે તેટલો અવકાશ નથી, એટલે અહીં તો યત્રતત્ર ઊડતો દષ્ટિપાત કરીને જ સંતોષ | માનશું.
તેમના સમકાલીનોમાં ઉપાધ્યાયજી વિનયવિજયજી, આનંદઘનજી, સત્યવિજય ગણિ, માનવિજય ઉપાધ્યાયે આદિ વિશિષ્ટ વિદ્વૉડલી હતી. તેમાંય ખાસ કરીને શાંત સુધારસનું અનુપમ સંગીત કરનારા શાંતમૂર્તિ મહા મુમુક્ષુ શ્રી વિનયવિજયજી તો એમના સહાધ્યાયી પરમાર્થ સુદદ્ હતા. આ વિનયવિજય અને યશોવિજયની જોડી સુપ્રસિદ્ધ છે. બન્ને ગાઢ પરમાર્થ મિત્ર અને ઉત્તમ કોટિના શાંત મુમુક્ષુ હતા, ઘેર ઘેર રસપૂર્વક વંચાતો સુપ્રસિદ્ધ “શ્રીપાલ રાસ' તો
આ બન્ને મહાત્માઓની સંયુક્ત કૃતિ છે. શ્રી વિનયવિજયજીએ એનો પૂર્વ ભાગ રચ્યો, ત્યાં તેમનો રાંદેરમાં દેહોત્સર્ગ થયો; એટલે તેમના પરમાર્થ મિત્ર શ્રી યશોવિજયજીએ તેનો ઉત્તર ભાગ રચી ઉત્તમ મિત્રકાર્ય કર્યું. છેવટે ત્યાં શ્રી યશોવિજયજી પરમ આત્મઉલ્લાસથી ગજ્ય છે કે –
“મારે તો ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પેઠો; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમરતિ હુઈ બેઠો રે...
...મુજ સાહિબ જગનો તૂઠો.” શ્રીમાનું આનંદઘનજીના દર્શન-સમાગમ એ શ્રી યશોવિજયજીના જીવનની એક ક્રાંતિકારી વિશિષ્ટ ઘટના છે. તે વખતના રૂઢિચુસ્તપણાને વળગી રહેનાર સમાજ એવી પરમ અવધૂત જ્ઞાનદશાવાળા, આત્માનંદમાં મગ્ન રહેનારા, આત્મારામી સપુરુષને ઓળખી ન શક્યો ને “લાભાનંદજી'નો (આનંદઘનજીનો) યથેચ્છ લાભ ન ઉઠાવી શક્યા. ઘરઆંગણે ઊગેલા કલ્પવૃક્ષને ન આરાધી વાંછિત ફલથી વંચિત રહ્યો. એ સમાજનું મહાદુર્ભાગ્ય અથવા કરાલ કલિકાલનો-દુઃષમ કાલનો મહાપ્રભાવ ! પણ તેવું તેવાને ખેંચે, Like alttracts like, લોહચુંબક લોહને ખેંચે એ ન્યાયે શ્રી યશોવિજયજી શ્રી આનંદઘનજીને તેમના યથાર્થ સ્વરૂપમાં ઓળખી શક્યા,- જેમ શ્રી દેવચંદ્રજી કહે છે તેમ -
તેહ જ એહનો જાણંગ, ભોક્તા જે તુમ સમ ગુણરાયજી.” તેવો જ તેવાને ઓળખે. સાચો ઝવેરી જ ઝવેરાત પારખી શકે. તેમ તે
- યશોભારતી B ૧૨૦
-