________________
(અધ્યાત્મજીવનનાં તેજકિરણો)
સાશ્રી પીયૂપ્રજ્ઞાશ્રીજી મ.
પાટણ નજીક કનોડા ગામમાં વિ.સં. ૧૬૪૫(?)માં નારાયણ તથા સૌભાગ્યદેવીના પુત્ર તરીકે શ્રી યશોવિજયજી(જશવંત)નો જન્મ. માતાપિતાના અનુપમ ધર્મપરાયણતા અને પવિત્રતાના સંસ્કારોનો વારસો. એક ભાઈ, નામે પદ્મસિંહ. ભક્તામર સ્તોત્ર'ના શ્રવણ પછી જ ભોજન લેવાનું માતાનું વ્રત. ભારે વરસાદને કારણે માતા ત્રણ દિવસ સ્તોત્રશ્રવણ માટે ઉપાશ્રયન જઈ શક્યાં, ભૂખ્યાં રહ્યા. નાના જસવજો કારણ પૂછ્યું, જાણીને પૂરું સ્તોત્ર માને સંભળાવ્યું.બાલ જસવત્તની અદ્દભુત સ્મરણશક્તિની વાત સર્વત્ર ફેલાઈ. નયવિજયજી મહારાજનું કનોડામાં આગમન. બાળકની અદ્ભુતશક્તિની વાત જાણી. ગુરુ-આજ્ઞાથી માતા પુત્ર સાથે ઉપાશ્રયે આવ્યાં. ધર્મ અને વૈરાગ્યનો ઉપદેશ માતાને આપીને જસવન્ત જેવું રત્ન જૈન શાસનને સમર્પિત કરીને પોતાનું અને શાસનનું ભલું કરવા માતાને આદેશ આપ્યો.
માતાની અનુમતિ અને એક નહીં, બંને ભાઈઓની દીક્ષા, વિદાય. • તીવ્ર પ્રજ્ઞાથી ઝડપી શાસ્ત્રાભ્યાસ કરી વિ.સં. ૧૯૯માં, યશોવિજયજીએ
સંઘની વિનંતીથી આઠ મોટાં અવધાન કર્યા. શાસનપ્રેમી શ્રેષ્ઠી ઘનજી સૂરાએ મુગ્ધ થઈ ગુરુને વિનંતી કરી પોતાને ખર્ચે
બંને ભાઈઓને ષડ્રદર્શન અને અન્ય વિદ્યા ભણવા કાશી મોકલ્યા. ગંગાકિનારે ભગવતી શારદાની આરાધના કરી. તેના આશીર્વાદ સાથે કાશીના પ્રકાડ વિદ્વાન ભટ્ટાચાર્યજી પાસે તેમના વિદ્યાલયમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો અને ષડૂ દર્શનોમાં પારંગત બન્યા. કાશ્મીરથી એક પંડિત આવ્યા. તેમણે સમગ્ર કાશીના પંડિતોને તેમની સાથે શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો. યશોવિજયજીએ ગુરુને વિનંતી કરી. શાસ્ત્રાર્થ કરવા અનુમતિ મેળવી સમગ્ર કાશીના પંડિતોની ઉપસ્થિતિમાં વાદસભા યોજાઈ, શાસ્ત્રાર્થ ચાલ્યો. યશોવિજયજીના પ્રકાંડ પાંડિત્યથી
- તેજકિરણી n ૧૦૯