________________
બને નહિ એ ગળે ઊતરે એવી વાત છે. જે પ્રસ્થમાં આ રીતે નિર્દોષ ક્રિયાઓનું સૂચન જ ન હોય અથવા તો વિપરીત ક્રિયાઓનું સૂચન હોય તે બીજી છેદપરીક્ષામાં નાપાસ થાય છે.
(૩) ત્રીજી તાપપરીક્ષા એ રીતે છે કે શાસ્ત્ર દ્વારા આત્માદિ જે અતીન્દ્રિયા પદાર્થોનું નિરૂપણ કરાયતવિધિ-નિષેધ, નિર્દોષક્રિયા અને મુખ્ય લક્ષ્ય સાથે સંગતિ ધરાવતું હોવું જોઈએ એ પ્રકારના નિરૂપણ માટે તત્ત્વોનાં પરસ્પર વિરુદ્ધ દેખાતાં) અનેક પાસાંઓને ધ્યાનમાં લેવાં જરૂરી છે-એનું બીજું નામ અનેકાન્તવાદ છે. જો કોઈ એક જ દષ્ટિકોણથી તે તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવે તો પાર વિનાની અસંગતિ ઊભી થાય અને એવો ગ્રન્થતાપપરીક્ષામાં નાપાસ થાય.
પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ત્રણ પરીક્ષાઓનું વર્ણન ઘણી સૂક્ષ્મતાથી કર્યું છે અને વીતરાગસ્તોત્રના આઠમા પ્રકાશના કેટલાક શ્લોકોના આધારે, સાંખ્ય-બૌદ્ધ-નૈવાયિક-વૈશેષિક તથા પ્રભાકર, કુમારિલભટ્ટ કે મુરીરિમિશ્ર વગેરે જૈનેતર દાર્શનિકોની માન્યતાઓથી સ્યાદ્વાદનું સુંદર સમર્થન કર્યું છે.
જ્ઞાનયોગ શુદ્ધિ ૦. વિભાગ-૨ : આ વિભાગની ભૂમિકા કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે ત્રિવિધ પરીક્ષામાં ઉત્તીર્ણ એવા શાસ્ત્રથી ચીંધાયેલી દિશામાં ચાલતાં ચાલતાં, શાસ્ત્રદર્શિત અતીન્દ્રિયતત્ત્વોની, ખાસ કરીને આત્મતત્ત્વની વિશેષોપલબ્ધિ માટે જ્ઞાનયોગ સાધતાં રહેવું જોઈએ. આત્મતત્વની વિશેષોપલબ્ધિનું જ બીજું નામ પ્રાતિજ્ઞાન છે. જોકે આ પ્રાતિભજ્ઞાન શાસ્ત્રીય પરિભાષા મુજબ તો કેવલજ્ઞાનના અરુણોદયરૂપ હોવાથી બારમા ગુણસ્થાનકની નીચે હોય નહિ, પણ પૂ. ઉપા. મહારાજે જ્ઞાનબિંદુ વગેરે ગ્રન્થોમાં તરતમ ભાવવાળા પ્રાતિજજ્ઞાનનું નિરૂપણ કરેલું હોવાથી નિમ્ન-નિમ્નતર કક્ષાનું પ્રતિભજ્ઞાન ચોથા વગેરે ગુણસ્થાનકોમાં પણ સંભવી શકે છે – જે સાધકો માટે અત્યંત આશ્વાસનરૂપ વાત છે.
આ પ્રાતિજ્ઞાનનું આ વિભાગમાં અને અન્યત્ર પણ આત્મદર્શન, આત્મજ્ઞાન, ભાવનાજ્ઞાન, સાક્ષાત્કાર, અદ્વૈત બ્રહ્માનુભવ, નિર્વિકલ્પસમાધિ, નિરાલમ્બનયોગ વગેરે જુદી જુદી પરિભાષાઓથી નિરૂપણ થયેલું છે. પરિભાષા ભિન્ન હોવા છતાં આ બધાં જ્ઞાનયોગનાં જ વિવિધ સ્વરૂપો છે. આ જ્ઞાનયોગની પ્રાપ્તિ માત્ર શાસ્ત્રાભ્યાસથી નથી થતી, પરંતુ આત્મદર્શનની તીવ્ર ઉત્કંઠા અને શાસ્ત્રજ્ઞાનપ્રેરિત અન્તર્મુખતા વડે તે પ્રાપ્ત થાય છે.
મોભરતી n ૯૮