________________
લગભગ દરેક યોગની બે અવસ્થા હોય છે ઃ (૧) સિદ્ધદશા અને (૨) સાઘ્યમાન દશા. સિદ્ધજ્ઞાનયોગીને પરખવાનું લક્ષણ એ છે કે બાહ્ય ઇન્દ્રિયવિષયો તેને ઝેર જેવા લાગતા હોઈ સહજ રીતે જ તેમાં તેની પ્રવૃત્તિ હોતી નથી. સાઘ્યમાન દશામાં કદાચ આટલી ઉચ્ચ સ્થિતિ ન હોય પણ તે દિશામાં પ્રગતિ તો હોય જ. ઉચ્ચકોટિની સાધ્યમાન દશામાં અથવા સિદ્ધદશામાં કેવું આત્મજ્ઞાન થતું હશે તેની કંઈક ઝાંખી કરાવતા પૂ. ઉપાધ્યાયજી કહે છે કે ‘બીજી સઘળીય વસ્તુઓથી આત્મામાં એકમાત્ર ચિન્મય-સ્વરૂપકૃત ભિન્નતાની નિરંતર પ્રતીતિ થયા કરે અર્થાત્ આત્મામાં વિશુદ્ધ ચિન્મયતા સિવાય બીજું કાંઈ જ લક્ષિત ન થાય તેવું જ્ઞાન એ શ્રેષ્ઠ આત્મજ્ઞાન છે.' (શ્લો. ૧૫) ‘મન, વચન અને બાહ્યદષ્ટિથી જે કાંઈ નજરે ચડે એ બધું પરસ્વરૂપ છે, શુદ્ઘ દ્રવ્યનું એ સ્વરૂપ નથી, શુદ્ધ આત્મદ્રવ્ય તો એનાથી તદ્દન પર છે. આગમો અને વેદોમાં રૂપ, રસ, વચન વગેરે ઉપાધિઓની વ્યાવૃત્તિ કરવા દ્વારા જ શુદ્ધાત્માના સ્વરૂપને દર્શાવવામાં આવ્યું છે. એ બધી ઉપાધિઓથી પર એવા અતીન્દ્રિય બ્રહ્મતત્ત્વનું ભાન સેંકડો શાસ્ત્રો કે તર્કોથી નહીં, પણ એક માત્ર વિશુદ્ધ અનુભવજ્ઞાનથી જ થઈ શકે (શ્લો. ૧૮-૧૯-૨૦-૨૧). ‘આ અનુભવદશા સુષુપ્તિ(બેભાન દા)રૂપ નથી કારણ કે મોહથી અલિપ્ત છે. સ્વપ્ર કે જાગ્રત દશારૂપપણું નથી, કારણ કે એમાં તો કલ્પનાવિકલ્પોના ખેલ ચાલુ હોય છે. માટે આ અનુભવદશા એ બધાથી જુદી જે ‘તુર્ય (=ચતુર્થ) દશા'ના નામે ઓળખાય છે.’ (શ્લો. ૨૪) આ અનુભવદશામાં કર્મકૃત સ્ત્રી-પુરુષ-મનુષ્ય આદિ પર્યાયો સાવ ગળાઈ ગયા હોય છે. જેમ રસ્તે જતા લોકો લૂંટાય ત્યારે અલ્પજ્ઞ લોકો ‘રસ્તો લૂંટાયો' એવો વ્યવહાર કરતા હોય છે તેમ ‘હું ગોરો, શામળો, રૂપાળો....' વગેરે શબ્દપ્રયોગો દ્વારા અજ્ઞાની લોકો કર્મકૃત વિકૃતિઓનો પોતાનામાં ઉપચાર કરતા હોય છે, પણ અનુભવદશામાં આવું કશું હોતું નથી.
આવા સિદ્ધજ્ઞાની પુરુષોની સ્વાર્થવૃત્તિ તદ્દન નાબૂદ થઈ જાય છે અને તેથી લોક વચ્ચે રહેવા છતાં પણ તેઓ જલકમલવત્ નિર્લેપ રહી શકે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે અહીં ચેતાવણીના સ્વરો ઉચ્ચારતા કહ્યું છે કે, આવા શ્રેષ્ઠ નિર્વિકલ્પસમાધિદશાની વાતો પરિપક્વબોધવાળાને જ કરવી જોઈએ, નહીં કે અધૂરા બોધવાળાને. જો અધૂરા બોધવાળાને ‘તું અને આખુંય જગત બ્રહ્મય જ છે’ એમ સમજાવાય તો અગમ્યગમન વગેરે મહા અનર્થ મહી જાય. માટે પ્રારંભદશામાં તો વ્રતનિયમોથી અને મવિક્લ્પોથી ચિત્તકિ નું જ
ઉપનિષદો