________________
(૧૩) પ્રિયો પૂરણ રાગ....)
મુનિ શ્રી. કલ્પતરુવિજયજી મ.
પ્રેમ કરવો એ કેવળ માનવજાતનો જ નહીં, પરંતુ જીવમાત્રનો સ્વભાવ છે.
પ્રેમનું શિક્ષણ લેવા જીવને કોઈ શાળામાં જવું પડતું નથી. શિક્ષણ વગર જ એ પ્રેમ કરી શકે છે, આપી શકે છે, પણ પાયાનો ગંભીર પ્રશ્ન એ છે કે પ્રેમ કોનાથી કરવો? કોની સાથે કરવો ?
અઢી અક્ષરના આ “પ્રેમ” શબ્દમાં સર્વ શાસ્ત્રોનો સાર સમાઈ જાય છે. એ હકીકત ઉપર ગંભીરપણે ચિંતન કરતાં સમજાય છે કે આ શબ્દનું તાત્ત્વિક સ્વરૂપ અતિ ગહન છે.
પ્રેમના તાત્ત્વિક સ્વરૂપથી અજ્ઞાત સંસારી જીવો પ્રેમ કરે તો છે, પણ પૌદ્ગલિક પદાર્થો સાથે, પૌદ્ગલિક સંબંધો સાથે અને પૌગલિક રૂપ-રસસ્પર્શ આદિ અનુકૂળ વિષયો સાથે.
સંસારી જીવોનો આ પ્રેમ મોહજન્ય હોવાથી “તુચ્છ-રાગ' સ્વરૂપ છે. આ રાગ આત્મ-તુચ્છકારમાં પરિણમતો હોવાથી જ્ઞાની મહાપુરુષોએ તેને “તુચ્છ' કહ્યો છે. તેને પોષવાથી આત્મા અને તેના જ્ઞાનાદિ ગુણોનો ઘાત થાય છે.
જડ સાથેનો પ્રેમ અથવા જડને અપાતો પ્રેમભાવ એ એટલા માટે સર્વથા વર્યુ છે કે તે ચૈતન્યરહિત છે, લાગણીશૂન્ય છે. તેના તરફથી વળતો પ્રેમ મળતો
નથી.
તત્ત્વદષ્ટિવંત પુરુષો પરમવિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરે છે, તેમ જ જગતના સાથે પ્રેમ-મૈત્રીનો પવિત્ર સંબંધ કેળવી તેમની સાથે આત્મતુલ્ય વર્તન, વ્યવહાર રાખે છે અને જગતને પણ એવો જ ઉપદેશ આપે
ચેતન જડને નમે.....જડથી પ્રેમ કરે એ ન તો ન્યાયસંગત છે, તર્કસંગત કે ન તત્ત્વસંમત છે.
( પૂર રાગ n 3 F