________________
જ કુશળતાથીદર્શાવ્યો છે, કારણ કે તે પ્રક્રિયામાં નક્કર વિકાસ દરેક મનુષ્યનો તો જ થઈ શકે છે. કહેવત છે કે “ઝવેરીને ત્યાં કારેલાં વેચાતાં ન મળે.” કારેલાં ઝવેરીને ત્યાં માંગનાર શેમાં ખપે? સરસ્વતીના અવતાર સમા મહાપુરુષ પાસે અમૃતઝરણાં જ હોય. તેમનાં એકેક કથનમાંથી સુખની સરવાણીઓ ફૂટતી હોય છે. તેમના ઉપકારોનાં સ્મરણમાં તેમનાં તરફ પ્રેમ લાધે. ગુજરાતની સંસ્કૃતિના રક્ષણ કરનારને બિરદાવીએ. ચેતન !
ખેવના રાખે છે તે વિશ્વને અચંબામાં નાંખીને જીવન જીવવાની અને તે માટે તું ભણવાની ભાવના કરે છે. ગમે તે ભોગે બુદ્ધિબળે અને પુરુષાર્થબળે દુનિયામાં વડો બનવાની ખેવના કરે છે. ડૉક્ટર કે વકીલ, નેતા કે શેઠ બનવા માટે લાલચુ બને છે, અમીરી ગુમાવે છે. જ્યારે તું ભૂલી જાય છે, આ જ મોટામાં મોટા ભ્રમમાં, અજ્ઞાનમાં આથડી રહ્યો છે. કારણ કે જીવનની અમીરી તો ખમીરીમાં સમાયેલી છે. ખમીરી છોડીને અમીરી મેળવવાનાં ફાંફાં દુનિયામાં સઘળી જગ્યાએ સહુ મારતાં નજરે દેખાય છે અને તું પણ હવાતિયાં મારવાં માંડે છે અને ભૂલી જાય છે કે અવગુણોની ગરીબી દિવસે દિવસે જીવનમાં વધતી જાય છે. અને આ અંતરની ગરીબી નજરે પડતી નથી. આ જ મોહનો સંતાપ છે. જ્ઞાન મેળવવા જતાં તું વધુ અજ્ઞાની બની રહ્યો છે, કારણ કે અંતરનું આત્માનું સાચું જ્ઞાન મેળવીને આત્મવિકાસ કરવાને બદલે તે શરીરનું સુખ મેળવવા, ભૌતિક સાધનો મેળવવા ધસમસી રહ્યો છે, ગાંડા બાવળની જેમ, અંધકારમાં તો બધાં અટવાય છે, પણ તું આ ઋષિમુનિઓની ભારતભૂમિમાં માનવીપણાને મેળવીને અજવાળામાં અથડાયા કુટાયા કરે છે. આનું નામ છે ચિત્ત. આના કારણે જ ડામાડોળ છે. તે ડામાડોળ ચિત્તને સ્થિર કરવા પૂર્ણતાનું ચિંતન કર! અંતરની પૂર્ણતાનું ચિંતન કર !
આંખો સામે વારંવાર દેખાય છે, આવે છે. પણ સાચી શ્રદ્ધા સાચામાં હોવી જોઈએ. તે ન હોવાના કારણે તરસ્યો છે ને રહે છે, પણ અવળી બુદ્ધિ તેને ઝેર સમાન બનાવે છે.
(અમૃતવેલની ચાય a ૮૯ )