________________
અિધ્યાત્મ-ઉપનિષદનો પ્રસાદ)
મુનિ શ્રી જયસુંદરવિજયજી મ.
શ્રી યશોવિજય ઉપાધ્યાયજીએ રચેલ અધ્યાત્મ-ઉપનિષદ ગ્રન્થ જૈન સાહિત્યનું એક અમૂલ્ય રત્ન છે.
અધ્યાત્મમત પરીક્ષા, અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદુ-આ ત્રણ અધ્યાત્મ” શબ્દ ગર્ભિત કૃતિઓ પૂ. ઉપાધ્યાયજીએ રચી છે. તે પૈકી અધ્યાત્મમત પરીક્ષામાં અધ્યાત્મના નામ સ્થાપના દ્રવ્ય ભાવ એ ચાર નિક્ષેપો દર્શાવીને, પ્રધાનપણે તત્કાલીન બનાવટી આધ્યાત્મિકમતનું નિરસન કરાયેલું | છે. ભાવ-અધ્યાત્મનું સૌથી વિશાળ નિરૂપણ અધ્યાત્મસારગ્રન્થમાં કરાયું છે. અધ્યાત્મ-ઉપનિષદ ગ્રન્થનો મુખ્યપણે સૂર એ છે કે –“વાસ્તવિક અધ્યાત્મની પિછાન વિશુદ્ધ શાસ્ત્રવચનથી થાય છે; શાસ્ત્રવચન દ્વારા આત્મા, જ્ઞાનયોગ અને ક્રિયાયોગના સમન્વયરૂપ અધ્યાત્મસાધનાને આત્મસાત્ કરે છે તેનાથી મુક્તિસાધક સમતાયોગ સિદ્ધ થાય છે.”
આ ગ્રન્થમાં ચાર વિભાગ પાડવામાં આવ્યા છે: (૧) શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર (૨) જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર (૩) ક્રિયાયોગશુદ્ધિ અધિકાર (૪) સામ્યયોગશુદ્ધિ અધિકાર
શાસ્ત્રયોગ શુદ્ધિ વિભાગ-૧ : આ વિભાગમાં અધ્યાત્મની વ્યાખ્યા વ્યવહાર અને નિશ્ચય, એમ બે નયના આધારે જુદી જુદી કરેલી છે. એવં ભૂતનય એ અહીં નિશ્ચયનય છે અને એ “અધ્યાત્મ' શબ્દની વ્યુત્પત્તિથી લભ્ય અર્થ પર ભાર મૂકતાં કહે છે કે આત્માને લક્ષમાં રાખીને જે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય આ પાંચે આચારોનું સુંદર પાલન થાય તે અધ્યાત્મ છે. આ અર્થવ્યુત્પત્તિ દ્વારા એ રીતે ફલિત થાય છે કે માત્મનિ તિ અધ્યાત્મિ” અર્થાત્ આત્માને ઉદેશીને થનારી વિશુદ્ધ ક્રિયા, એટલે કે જ્ઞાનાદિ પાંચ આચારોનું પાલન.
પતિનો પ્રસાદ ઉ
મ -