________________
અધ્યાત્મ ધ્યાનમાં રત, અર્થાત્ ધ્યાતા ને ધ્યેયનો અભેદ ભાવના કારણે પરની અપેક્ષા વગર માત્ર ૪ સ્વરૂપમાં જ મગ્ન સાધુને જ આ સામાચારી ચારે પુરુષાર્થમાં ઉત્તમ મોક્ષમાં નિમિત્તરૂપ બને છે. સામાચારીમાં મગ્ન હોવા છતાંય અનુપયોગથી કર્મ બંધ સંભવે તો કર્મશૂન્ય અવસ્થારૂપ મોક્ષને અભિમુખ કેવી રીતે બને ? આ સામાચારી પાલનના પરિણામવાળા સાધુનું અનુપયોગ દશામાં પણ મોક્ષમાર્ગમાં જ ગમન થાય છે, બીજે નહિ, કારણ કે વ્યક્તિને જે કાર્યનો દઢ ર અભ્યાસ કે મહાવરો થઈ ગયો હોય તેણે અનુપયોગ અવસ્થામાં પણ દઢસંસ્કારવશ તે કાર્યમાં જ પ્રવૃત્તિ થાય છે. તે પ્રત્યક્ષ સિદ્ધ છે. લલિતવિસ્તરામાં કહ્યું છે અનાનો તોપ મા મનમેવ સન્યાયે
આ સામાચારીને એકાદ વાર સાંભળી લેવાથી કે જાણી લેવાથી કે એકાદ બે વાર આચરી લેવાથી કામ ન સરે. એટલા માત્રથી અનાદિકાળના મિથ્યા આચારોના એ કુસંસ્કારો ભૂંસાઈ જતા નથી, પરંતુ વારંવાર પૂંટવાથી જ ભૂંસાય, સર્વથા નષ્ટ પણ થઈ જાય છે. આને ઘૂંટી ઘૂંટીને એવી સ્થિર સ્વાયત્ત કરવાની કે જેથી અનુપયોગ દશામાં પણ એનું જ પાલન થાય. પૂજ્યશ્રીનો અંતિમ સારભૂત ઉપદેશ
किं बहुणा इह जह जह, रागदोसा लहुं विलिज्जंति ।
तह तह पयट्टिअव्वं, एसा आणा जिणिंदाणं ॥ એકાંતે હિતાવહ સારભૂત ઉપદેશ જણાવતાં તેઓશ્રી સૂચના કરે છે કે વધારે બોલવાથી શું ? કારણ વધારે બોલવાનું તો ધર્મકથામાં હોય નહીં કે જ્ઞાનમૂલક, પ્રવૃત્તિના આચરણમાં. આ જગતમાં તે તે રીતે પ્રવૃત્તિ કરવી કે જે જે રીતે માયા-લોભરૂપ રાગ અને ક્રોધ, માનરૂપ દ્વેષ નાશ પામતાં જાય. એવો કોઈ આગ્રહ નથી કે અમુક ચોક્કસ અનુષ્ઠાનમાં જ પ્રયત્ન કરવો. આગ્રહ એ જ છે હંમેશાં રાગદ્વેષના નાશ ને અનુકૂળ પ્રવૃત્તિ કર્યા કરવી નહી सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिज्जा, નહીવિત્ર વાળિયો || તેથી જિન-પ્રવચનમાં કોઈની સર્વથા અનુજ્ઞા કે સર્વથા નિષેધ નથી, પરંતુ લાભાર્થી વણિકની જેમ લાભાલાભની તુલના કરી પ્રવૃત્તિ કરવી એમ ઉપદેશ માલા'માં જણાવ્યું છે. દેશપરિક્ષયાર્થવ प्रयतितव्यम्
આ જ જિનેશ્વર પ્રભુની આજ્ઞા છે. સઘળાં શાસ્ત્રોનો વિસ્તાર પણ
- પોમારતી ૭૪