________________
પ્રમાણે પોતાની નવોઢાને શણગારી રહ્યો હતો. આ પ્રસંગે મહોપાધ્યાયશ્રીએ ઉàક્ષા અલંકારનો ઉપયોગ કરીને નવોઢાના મેકપનું વર્ણન કર્યું છે. અંબોડો કેવો બાંધ્યો, તિલક કેવું કર્યું, ગાલ પર પત્રલતાઓ કેવી ચીતરી હતી, એ વર્ણવીને જણાવ્યું છે કે “કુચ મંડન જબ કઈ તે કામનું, ઋષભકૂટ ૪ ૫. તબ મુનિ ભ્રાતા રે આવ્યો સાંભળ્યો, દુઉ વંદન પરિણામ. અર્ધમંડિતાને મૂકી નાગિલા, વહેલો આવું રે વંદિ, ઈમ ચિંતિવારી રે સખી તસ વારતી, વંદઈ ભ્રાત આનંદિ. પત્ની નાગિલાનો શણગાર અધૂરો મૂકીને તે વડિલ બંધુ મુનિવરને વંદન કરવા માટે દોડી આવ્યો. ત્યારે બંધુ મુનિવરે તેના હાથમાં ધીનું પાત્ર પકડાવીને સાથે આવવા કહ્યું. અનેક નગરજનો થોડેક સુધી મુનિવરને વળાવીને પાછા ફર્યા ત્યારે ભવદવ વિચારે છે કે બીજા ભલે પાછા વળે પણ ભાઈ થઈને મારાથી થોડા પાછા ફરાય? મોટા ભાઈને ભિક્ષાનો ભાર વધી ગયો એટલે તો મને પાત્ર ઉપાડવા આપ્યું. હવે પાત્ર મકાને ન પહોંચાડું અને મને વાળ્યાં વિના હું પાછો વળી જાઉં તો સગપણનો શું સ્વાદ?
આખા રસ્તે બન્ને ભાઈઓ ભૂતકાળના સંસ્મરણોને તાજા કરતાં ચાલ્યા જાય છે. આ મોહનગારાં વૃક્ષો પર આપણે બન્ને વાનરની જેમ ઉપર ચડતા અને ઊતરતા. આ તળાવમાં આપણે જલક્રીડા કરતા અને આ કપૂર જેવી રેતીમાં આપણે ઘર બાંધતા, એમ વાતો કરતાં કરતાં ઉપાશ્રયે આવી પહોંચ્યા. બે ભાઈઓને આવતા જોયા એટલે અનેક મુનિઓ ડોક વાંકી કરીને જોવા લાગ્યા. અંદરોઅંદર હાંસી કરવા લાગ્યા કે સાધુ ભેગો આવ્યો છે તો સાધુ જ થશે. હાથમાં આવ્યો હવે થોડો છોડશે. સંન્યાસી ભેગો ગયો હોત તો સંન્યાસી થાત. બન્ને બંધુઓ ગુરુ પાસે પહોંચ્યા ત્યારે ગુરુએ પૂછ્યું કે આ કોણ છે? ત્યારે ભવદત્ત મુનિ કહે મારો નાનો ભાઈ છે. દિક્ષા આપીને આપ તેનો ઉધ્ધાર કરો. ત્યારે ગુરુએ પૂછ્યું, બોલ કેમ તું લઈશ ને? ભાઈ-મહારાજની વાત ખોટી ન પડે માટે લજ્જાથી હા પાડી અને તરત જ દીક્ષાનું મુહરત કાઢ્યું. ભવદેવને પ્રવયા આપીને ત્યાંથી તરત વિહાર કરાવી દીધો. ભાઈ પ્રત્યેની ભક્તિથી દીક્ષા તો લીધી પણ મનથી નવોઢા નાગિલાનો સ્નેહ ઓછો થયો નથી. દિન-પ્રતિદિન વિરહની વેદના અંતરને વધુ ને વધુ બાળવા લાગી. દિવસ જાય તો રાત ન જાય અને રાત જાય તો દિવસ ન જાય. નાગિલાનો અજપાજપ જપતાં જપતાં મુનિવરે વર્ષો કાઢી નાંખ્યાં. મોટા બંધુ મુનિવરની ઉમર થઈ, એમણે અનશન સ્વીકાર્યું અને સ્વર્ગવાસ પામી સૌધર્મ દેવલોકમાં
પશોભાવતી LL ૦