________________
બીજા અવસરે તે કાર્ય કરવું એવી અનુજ્ઞા આપે, (૪) બીજો કોઈ તે કાર્ય કરશે, (૫) કોઈએ એ કાર્ય કરી લીધું છે આદિ શબ્દથી તે કાર્ય સંબંધી વિશેષ વાત જણાવે.
–અથવા ત્રણ વાર વિધિ કરવા છતાં પણ અલના થાય તો પ્રતિપૃચ્છા કરવી, પહેલાં ગુરુએ નિષેધ કર્યો હોય ! અને પછી કાર્ય યોગ્ય સંપૂર્ણ સામગ્રી પાછી ઉપસ્થિત થાય તો ગુરુ પાસે ફરીથી અનુજ્ઞા માંગવી તે પ્રતિપૃચ્છા. પહેલાં નિષેધ કર્યો હોય તો પછી સંમતિ કેવી રીતે આપે? ઉત્સર્ગ અપવાદથી એક જ કાર્યમાં વિધિનિષેધ સંભવી શકે છે. એક વાર આપૃચ્છા કરી પછી પાછું ન પૂછે અને પહેલાં આપેલી આજ્ઞાથી કાર્ય કરે તો પ્રતિપૃચ્છાજન્ય લાભ ન મળે, પણ આપૃચ્છાજન્ય લાભ તો મળે જ ને? એવું નથી, ઘણી ક્રિયા-પ્રધાન હોય એવા કાર્યમાં એક ક્રિયા કરવા માત્રથી ફલસિદ્ધિ ન થાય, નહીં તો પ્રતિક્રમણની શરૂઆત કરે અને ચૈત્યવંદન-કાઉસગ્ગ માત્રથી જ પ્રતિક્રમણનો લાભ મળી જાય?
(૮) છંદના લક્ષણ : પૂર્વે લાવેલ અશનાદિકનું રત્નાધિકના આદેશાનુસાર બાલ ગ્લાન આદિનું ઉલ્લંઘન ન થાય તે રીતે સાધુઓને લેવા માટે નિમંત્રણ છે છંદના. આત્મલબ્ધિક, વિશિષ્ટ તપ કરનાર વગેરે સાધુઓને જ નિર્જરા માટે અશનાદિક અધિક ગ્રહણ અનુજ્ઞાત છે. તેઓને જ બે ત્રણવાર ગોચરી અનુજ્ઞાત છે, બાકીના સાધુઓને તો માંડલીમાં જ અને તે પણ એક ભક્ત તેથી છંદના ન સંભવે. તેઓ પણ વધારે શા માટે લાવે? પોતાના જેટલું જ લાવે ? નહિ, બાલ ગ્લાનાદિને આપવાથી તેઓને વિશિષ્ટ નિર્જરાનો લાભ થાય. પોતે આપે, પણ સામો ન લે તો લાભ ન મળે ને છંદના નિષ્ફળ જાય? ગ્રહણ કરે તો જ નિર્જરા તેવું નથી પણ આજ્ઞા શુદ્ધ ભાવ જ વિપુલ નિર્જરા કરાવે છે. છંદ્યને આમંત્રણ આપવાનો ભાવ ભગવાનની આજ્ઞાના યથાર્થ પાલનથી ઉત્પન્ન થતો હોવાથી પ્રશસ્ત બને છે તેથી છંદનાજન્ય રિામાં ભાવવિશેષ જ કારણ છે, છંઘનું ગ્રહણ સહકારી નથી તેથી ગ્રહણ વગર પણ ફલ મળી જાય.
એટલું લક્ષ્યમાં રાખવાનું કે છંદક લાવનારે જ્ઞાન સંયમ તપ આદિની વૃદ્ધિની ભાવનાથી આહારાદિ લાવવા, પરંતુ ભવિષ્યમાં તે મને લાવી આપશે કે પોતાની કીર્તિની ઇચ્છાથી છંદના કરવાથી અનિષ એ રીતે છંઘ પણ મારી
( સામાચારી પ્રકરણ ૭૧ )