________________
ગુરુપૂર્ણિમા. દિવાળી વગેરે પ્રસંગે પ્રસંગે જે જે દાન-દક્ષિણા દેવા પડશે તે દઈશ. મારી ખાસ ઈચ્છા છે કે આપ તેમને ભણાવો આવી ઉદારતાપૂર્વકની વિનંતિના કારણે ગુરુમહારાજ શ્રી નવિજયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજને ભણાવવા કાશીનો રસ્તો લીધો. તે કાળમાં આજે છે તેવા રસ્તા-રોડપુલ હતા નહીં. નદી, નાળાં, જંગલ, અટવી-આ બધાંને ઓળંગતા-ઓળંગતા કાશી પહોંચ્યા. સાથે નયવિજયજી હતા, પણ વિનયવિજ્યજી ન હતા.
કાશીમાં પ્રવેશ કરતાં પહેલાં જ ભાગીરથી પાપમોચિની ગંગાનદીના કાંઠે શ્રી યશોવિજયજીએ ભગવતી શારદાદેવીની સાધના કરી અને પ્રસન્ન થયેલાં મા સરસ્વતીએ વરદાન આપ્યું:
શારદ સાર દયા કરો આપો વચન સુરંગ તૂ તુઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ તક કાવ્યનો તે તદા દીધો વર અભિરામ ભાષા પણ કરી કલ્પતરુ શાખા સમ પરિણામ.”
પોતે જ શ્રી જંબુસ્વામીના રાસના મંગલાચરણમાં આવો સ્પષ્ટ પ્રસંગ વર્ણવ્યો છે : કૂર્ચાલી શારદ બનીને જ કાશીમાં ગયા. સાધુવેષમાં રહીને જ ભણ્યા. પંડિત ભટ્ટાચાર્ય પાસે સામાન્ય વિદ્યાર્થીને જે અભ્યાસક્રમ ભણતાં બાર વર્ષ લાગે તેટલો અભ્યાસ માત્ર ત્રણ વર્ષમાં કરી લીધો ! તત્ત્વન્યાયચિંતામણિ જેવો દુર્બોધ ગ્રન્થ પોતાના નામની જેમ સુગ્રહિત કરી લીધો. અરે ! એટલું જ નહીં, એક વાદી આવ્યો અને કોઈ પણ તેની સાથે વાદ કરવા તૈયાર ન થયું ત્યારે શ્રી યશોવિજયજીએ એ બીડું ઝડપી લીધું! અને હજારો આશ્ચર્યચકિત આંખોની સાક્ષીએ એ વાદમાં વિજય પણ મેળવ્યો. આ પ્રસંગે અધ્યાપક ભટ્ટાચાર્યે ખૂબ પ્રસન્નતા દર્શાવી.
ત્યાંથી પછી આગ્રા પધાર્યા. ચાર વર્ષ રડ્યા. કાશીમાં નવ્ય ન્યાય વિષયના જે ગ્રન્થો ભણ્યા તે અહીંના વિદ્યાર્થીઓને ભણાવ્યા.
આમ સાત વર્ષ પછી ફરીથી ગુજ્જત પધાર્યા. તે પહેલા ગ્રન્યસર્જનનું કાર્ય તો ચાલુ થઈ ગયું હતું.
તેમના જીવનમાં પર્વતની ઉત્તુંગતાને મહાત કરે તેવી બુદ્ધિના દર્શન થાય છે તો સાગરની અગાધતાને શરમાવે તેવા હૃદયના પણ દર્શન થાય છે. તેમના ગ્રન્થોનું અધ્યયન આ બાબતની ગવાહી આપે છે. તેમના જીવનની સફળતાનો સંપૂર્ણ યશ તેઓ પોતાના ગુરુમહારાજ શ્રી
( વંદન તમને ઘ ૫૯