________________
વ્યવહારનય : એ રીતે તો સામાચારી ન આચરતા આત્મા વિશે પણ સામાચારી વ્યવહાર થઈ જાય. તેથી ‘ઇચ્છાકારાદિ સામાચારીનું આચરણ કરનાર આત્મા' સામાચારી છે.
ઋજુસૂત્રનય ઃ એ રીતે તો દ્રવ્યથી સામાચારી પાળતા દ્રવ્યલિંગીમાં પણ સામાચારી આવી જાય. તેથી શેય પરિજ્ઞા-પ્રત્યાખ્યેય પરિજ્ઞા તત્પર ઇચ્છાકારાદિનું ઉપયોગપૂર્વક આચરણ કરનાર આત્મા સામાચારી છે.
શબ્દનય : એ રીતે તો અતિચાર યુક્ત સંયતાદિમાં પણ સામાચારી આવી જાય, તેથી ‘સુસંયત’ છએ જીવ નિકાયના પરિતાપથી અટકેલ અને ઉપયોગપૂર્વક સામાચારી આચરતો આત્મા સામાચારી.
સમભિરૂઢ : એ રીતે તો પ્રમત્ત સંયતને પણ સામાચારી ઘટશે. તેથી ત્રિગુપ્ત = અકુશલ ચિત્તાદિ નિરોધ ને કુશલ ચિત્તાદિની પ્રવૃત્તિ કરનાર, પાંચ સમિતિ યુક્ત સુસંયત ઉપયુક્ત સામાચારી આચરતો આત્મા સામાચારી છે.
એવં ભૂત ઃ કુર્વટ્ટુપ સંયમનું ફળ કર્મક્ષય જોઈએ તેવી માન્યતા-પૂર્વોક્ત રીતે તો અપ્રમત્ત સંયમી પણ સામાચારી થાય તેથી સાવધયોગ વિરત એટલે જે કર્મબંધથી અટકેલ, ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત સામાચારી આચરતો આત્મા સામાચારી છે. તે યથાખ્યાત ચારિત્રાદિકમાં જ સંભવે.
નૈગમનય : શુદ્ધ અશુદ્ધ બે ભેદવાળો, તેથી ઉપર્યુક્ત સઘળાં વિશેષણોથી કે બે-ત્રણ ગુણોથી યુક્ત આત્મા સામાચારી છે.
આ સામાચારી (૧) ઇચ્છાકાર, (૨) મિથ્યાકાર, (૩) તથાકાર, (૪) આવશ્યિકી, (૫) નૈષિધિકી, (૬) આપૃચ્છી (૭) પ્રતિસ્પૃચ્છા, (૮) છંદણા, (૯) નિમંત્રણા, (૧૦) ઉપસંપર્. આ રીતે દશ પ્રકારે છે. વ્યવહારથી ઇચ્છાકારાદિ શબ્દનો પ્રયોગ એ સામાચારી છે, જ્યારે નિશ્ચયથી વિશિષ્ટ ચારિત્રાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન પરિણામવિશેષ સામાચારી છે. (૧) ઇચ્છાકાર
,,
- લક્ષણ-વિધિવાક્ય-પોતાના કાર્યમાં સામી વ્યક્તિની ઇચ્છા નણવા જે પ્રયોગ-દા.ત., ફ∞યા ત્યું મમેવું ાર્ય
5
પ્રતિજ્ઞા-બીજાનું કાર્ય કરવાની પોતાની ઇચ્છા જણાવવા જે પ્રયોગ-દા.ત., ફલ્જીયા મદં તવેત્ ાય
રોમિ
આ પ્રમાણે અભ્યર્થના અને વિધાનમાં પ્રાર્થના ફરનાર ને કાર્ય કરનાર
સામાયરી પ્રકરણ ૫