________________
સામાવાની પ્રરણા
ગણિવર્ય. સોમચંદ્રવિજયજી
सावज्ज जोगविरओ, तुज्झ निगुत्तो सुसंयओ समए -
आया सामाचरी, समाघरंतो य उवउत्तो ॥ અખ્ખલિત વહી રહેલા કાળરૂપી નભોમંડલમાં અસંખ્ય આત્માઓ તારાની પેઠે ઉદય અને અસ્ત પામે છે, પણ ક્યારેક જ વિરલ આત્માઓ વિજળીની જેમ પોતે ઝળકે છે અને જગતને પણ ઝળહળાટથી આંજી દે છે.
આજથી ત્રણસો વર્ષ પૂર્વે એક એવી સમર્થ વ્યક્તિની હસ્તી હતી કે જેની શક્તિનો તાગ હજુ સુધી કોઈ પામી શક્યું નથી.-નૈયાયિક, તાર્કિક, સંસ્કૃત પ્રાકૃત કેગુર્જર રાસા સાહિત્યસર્જકોને તેમની વિરાટ પ્રતિભામુગ્ધ બનાવે છે.
નય-પ્રમાણની પ્રરૂપણા, ક્ષણિકવાદ આદિ ચર્ચાથી ભરપૂર ન્યાયખંડ આદ્ય જેવા ગહન ગ્રંથોમાં કે લોકહૈયે ચઢેલા ગુર્જર સાહિત્યમાં તેમની કલમ એવી તો મહેંકી ઊઠી છે કે જેથી તે તે વિષયમાં બુદ્ધિમંત કે આબાલવૃદ્ધ સૌનાં ચિત્ત ચકિત થઈ જાય છે.
પ્રકાંડ પ્રતિભાને ધારણ કરનાર અને જૈન દર્શનની પ્રાચીન શૈલીમાં નવ્યન્યાયનો મુગમ સમાગમ કરનાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જિનશાસનના સર્વવિધ સાહિત્યમાં સંપૂર્ણ રીતે છવાઈ ચૂક્યા છે.
મહાતાર્કિક એવા પણ તેઓશ્રીને સાધુ સામાચારી વિષયક જ્ઞાન કહેલું અગાધ હતું તે તેઓના “સામાચારી પ્રકરણ વગેરે ગ્રંથોમાંથી જણાઈ આવે છે. સાતે નયથી સામાચારી પદાર્થ ઘટાવી દરેકના નિર્દિષ્ટ લક્ષણ દ્વારા દોષોનો પરિહાર કરી, આવશ્યક નિયુક્તિ-ભાષ્ય ચૂર્ણિ-પંચાલકજી આદિ શાસ્ત્રીય ઉલ્લેખપૂર્વકની તર્કસંગત દલીલોથી તે તે સામાચારીનું સાર્થક્ય પોતાની આગવી સૂઝથી તે રીતે સિદ્ધ કર્યું છે કે જેથી આપણી શ્રદ્ધા વધુ પુષ્ટ બને. સામાચારીના પદાર્થોમાં અહોભાવ પ્રકટે અને પ્રમાદી મન તે તે સામાચારીના
પણ મારી બા
કરે