________________
પાલનમાં અપ્રમત્ત બને. આપણે તેઓશ્રીના સામાચારીના જ્ઞાનનો કંઈક રસાસ્વાદ પામવા યત્કિંચિત્ પ્રયાસ કરીએ. લાચારી ને સામાચારી
અનાદિ કાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરતાં સુખ મેળવવા પ્રયત્ન કરતો આવ્યો છે, છતાંય મોહને અધીન લાચારીપૂર્વક કરેલા પ્રયત્નો દ્વારા સુખની વાત તો દૂર રહી, પરંતુ વધારે ને વધારે દુઃખી બનતો જાય છે. શુદ્ધ થવાને બદલે વધારે ખરડાતો જાય છે. એટલું જ નહીં પણ જડ નાખી ગયેલી આ વિપરીત પ્રવૃત્તિ મિથ્યા આચારોથી બંધાયેલાં કર્મો અને કુસંસ્કારોથી આત્મા શુદ્ધ સ્વરૂપ મેળવવાથી વંચિત બનતો જાય છે; પરંતુ તેમ ન બને અને આત્મા ટૂંક સમયમાં જ મુક્તિને પામે તેવા જીવન જીવવાના આચારોનું પાલન તેનું નામ સામાચારી.
સંસારમાં ભટકાવે તે લાચારી, સંસારથી મુક્તિ અપાવે તેનું નામ સામાચારી. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં સ્વોપજ્ઞ ટીકાની પહેલી જ લીટી દ્વારા કહીએ તો હજારો દુઃખરૂપી તરંગોથી ભયાનક ભવસમુદ્રમાં ભવ્ય જીવોને આધાર રૂપ નાવ છે સંયમ, પણ તે નૌકા અનુકૂળ પવન જ ન હોય તો શું કરવાની? સમુદ્રનો પાર કેવી રીતે પામી શકવાની ? તે અનુકૂળ પવન-તેનું નામ સામાચારી.
* સામાચારી શાસ્ત્રોમાં ત્રણ પ્રકારે વિભક્ત છે: (૧) ઓધ સામાચારી એટલે સંયમી જીવનની દિનચર્યા આદિ ઔત્સર્ગિક વિધિ. જે ઓઘનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં જણાવી છે. (૨) પદવિભાગ સામાચારી એટલે છેદ સામાચારી-કારણિક આપવાદિક વિધિ. જે નિશીથ, બૃહત્કલ્પ આદિ છેદ ગ્રંથોમાં જણાવી છે. (૩) દશવિધ સામાચારી એટલે ઇચ્છા-મિચ્છાદિક દશવિધ ચક્રવાલ સામાચારી. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી આવશ્યક નિર્યુક્તિ, શ્રી પંચાલકજી આદિ શાસ્ત્રોમાં પ્રરૂપેલ આ સામાચારીનું ન્યાયશૈલી ગર્ભિત મૌલિક છતાંય હૃદયંગમ વિવરણ ઉપાધ્યાયજી મહારાજે કર્યું છે.
હવેસાતે નયોથીસામાચારીપદાર્થપૂજ્યશ્રીએ રીતે ઘટાડે છે તે જોઈએ.
સંગ્રહનય આત્મા એ જ સામાચારી છે, નહિ કે આત્માથી જુદો કોઈ ગુણ, કારણ કે આત્માને વિશેષ કરીને જ સર્વ સામાચારી સંગૃહિત થાય છે. આમ સર્વ આત્મામાં સઘળી સામાચારીનો સંગ્રહ કરે.
પશોમાતી na n .