________________
કડી ૨૬થી ૨૮ શ્રેણિબદ્ધ સાઘનાસોપાન ધારતાં ધર્મની ધારણા,
મારતાં મોહ વડચોર રે; જ્ઞાનરુચિ વેલ વિસ્તારતાં,
વારતાં કર્મનું જોર રે... રાગ વિષદોષ ઉતારતાં,
ઝારતાં ઠેષ રસ શેષ રે, પૂર્વ મુનિવચન સંભારતાં,
વારતાં કર્મ નિઃશેષ રે... દેખિયે માર્ગ શિવનગરીને,
જે ઉદાસીન પરિણામ રે, તેહ અણછોડતાં ચાલિયે,
પામીએ જેમ પરમધામ રે... એ રસાસ્વાદ કઈ રીતે મળે? આ માટે એકી સાથે ખૂબ ખૂબ કામ કરવાનું છે. ચિત્તવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે એને ખૂબ બધું homework સોંપી દીધું છે મહોપાધ્યાયજીએ.
આઠ સ્ટેપ્સ છે અહીં.
ધર્મધ્યાનમાં ગરકાવ થવું ને મોહને દબાવવો, સ્વાધ્યાયરુચિતાને વિસ્તારવી ને કર્મના આક્રમણને ખાળવું; રાગ અને દ્વેષ રૂપી ઝેર ઉતારવું, પૂર્વ મહર્ષિઓનાં વચનોને વારંવાર સ્મરવાં અને કર્મોના ક્ષય તરફ આગળ
વધવું.
સાધનાનો આ બીજો તબક્કો શરણગમન આદિ દ્વારા મળેલ ગુણપ્રાપ્તિને સ્થાયીભાવ આપે છે. પાપોની નિંદા કરી અને સુકૃતની અનુમોદનાય કરી; હવે એનું સાતત્ય ચાલુ રહે એ માટે ઘર્મધારણા અને સ્વાધ્યાય. મોહને વારવા માટેનો અને રાગ, દ્વેષ રૂપી ઝેરને ઉતારવાનો ઉપદેશ સમતાગુણને ટકાવી રાખવા માટે છે.
સમતાનું સાતત્ય પહેલેથી રાખવાનું છે. બીજી અને ૩જી કડીમાં પ્રબોધેલ આઠ સ્ટેપ્સમાં પણ સમત્વપુષ્ટિની વાત છે.
આગળ કહ્યું હતું કે, બીજી અને ૩જી કડી સાધકના જીવનમાં એક મધુમય ઝંકાર રેડવા માટે છે. આ વાતના અનુસંધાનમાં કહી શકાય કે ૨૬ થી
પદ માસી 1 NR
શિક