________________
જ્ઞાન આનંદ ભરપૂર રે.... સાધુનું શરણ ત્રીજું ઘરે,
જેહ સાધે શિવપંથ રે; મૂળ ઉત્તર ગુણે જે વર્યા,
ભવ તર્યા ભાવ નિર્ગસ્થ રે.. શરણ ચોથું ધરે ધર્મનું, -
જેહમાં વર દયા ભાવ રે; જે સુખ હેતુ જિનવર કહ્યો,
પાપજળ તરવા નાવ રે... ચારનાં શરણ એ પડિવજે,
વળી ભજે ભાવના શુદ્ધ રે... ચતુશરણ ગમન, દુષ્કૃત ગર્તા અને સુકૃત અનુમોદના. સાધનાનો રાપથ ઉપશમ અમૃતનાં પાન અને સાધુજનોનાં ગુણગાન વડે જેના હૈયે મધુર ઝંકાર ઊપડ્યો છે તે સાધનામાર્ગ ભણી ઢળે છે.
શરણ સ્વીકાર આદિની ત્રિપુટી દ્વારા મોક્ષ મળે છે. જનમજનમથી વિષયો ને કષાયો ને કર્મોના બન્ધનમાં ફસાયેલ આતમ મુક્તિપંથે પ્રયાણ કરવા હવે પાંખો વીંઝે છે.
પવિત્ર પંચસૂત્રક ગ્રન્થ કહે છે તેમ આ ત્રિપુટી દ્વારા સંસારનાશનો ક્રમ આ પ્રમાણે છે : ત્રિપુટીની સાધના તથા ભવ્યત્વનો પરિપાક, પાપ કર્મનો નાશ, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ, સંસાર નાશ.
“અમૃતવેલ'ની સઝાયમાં ચતુઃ શરણગમન આદિ દરેક દ્વારા પ્રાપ્ત થતાં અલગ અલગ ગુણની ચર્ચા છે.
ચતુઃ શરણ સ્વીકાર દ્વારા શુભ ભાવ પ્રાપ્તિ. ૧ દુકૃતગર્તા દ્વારા સંવરની વૃદ્ધિ. ૨ સુકૃત અનુમોદના દ્વારા કર્મક્ષય. ૩ શરણ સ્વીકારની સાથે પરમાત્માના અનુગ્રહ ક્ષેત્રમાં અને ધર્મ ૧ શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે.... ૨ દુરિત સવિ આપણા નિદિયે, જિમ હોય સંવર વૃદ્ધિ રે... ૩ સુકૃત અનુમોદના કીજિયે, જિમ હોય કર્મ વિસરાલ રે....
- પરોવતી B ૪૮