________________
ગચ્છાધીશ શ્રી ભાવપ્રભસૂરિજીએ નાની ટીકા બનાવી છે. ગ્રંથકારે આ ગ્રંથમાં શરૂઆતના ૯ શ્લોકમાં શ્રી જિનપ્રતિમાને અને જિનપ્રતિમાની પૂજાને જણાવનારા આગમાદિને નહિ માનનારા લંપકમતનું ખંડન કર્યું છે. પછી ૯ શ્લોકમાં ધર્મસાગરીય મતનું ખંડન કર્યું છે. તે પછીના બે શ્લોકમાં જિનપ્રતિમાની સ્તુતિ કરી છે. ત્યાર બાદ ૧૨ શ્લોકમાં પાયચંદ મતનું અને ત્રણ શ્લોકમાં પુણ્યકર્મવાદીના મતનું ખંડન કરીને બે શ્લોકમાં જિનભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે. તે ઉપરાંત જિનસ્તતિ ગર્ભિત નય-ભેદો પણ દર્શાવ્યા છે. પછીના ૬ શ્લોકમાં સર્વ પ્રભુની અને તેમની પ્રતિમાની સ્તુતિ જણાવીને છેવટે પ્રશસ્તિ કહીને ગ્રંથ પૂર્ણ કર્યો છે. .
૩૧. પ્રતિમાસ્થાપનન્યાય-આ ગ્રંથ અપૂર્ણ મળ્યો છે.
૩૨. ફલાફલવિષયક પ્રશ્નોત્તર. ૩૩. ભાષા રહસ્ય. ૩૪. માર્ગ પરિશુદ્ધિ. ૩૫. મુક્તાશુક્તિ. ૩૬. યતિદિનચર્યા પ્રકરણ. ૩૭. વૈરાગ્ય કલ્પલતા, ગ્રંથમાન-૬૦૫૦. ૩૮. શ્રી ગોડી પાર્શ્વસ્તોત્ર, ૧૦૮ પદ્ય. ૩૯. સંસ્કૃત વિજયપ્રભસૂરિસ્વાધ્યાય. ૪૦. શંખેશ્વરપાર્થસ્તોત્ર, ગ્રંથમાન ૧૧૨. ૪૧. સમીકાપાર્થસ્તોત્ર. ૪૨. સામાચારી પ્રકરણ, સ્વોપાટીકા સહિત. ૪૩. સ્તોત્રાવલી.
. ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજીકૃત ટીકા ગ્રંથો
૪૪. અસહસ્ત્રીવિવરણ-ન્યાયશાસ્ત્રનો આ ગ્રંથ દિગંબરીય છે. મૂલ કારિકાના રચનાર સમંતભદ્ર છે, ભાષ્યકર્તા અકલંક દેવ છે અને તેને અનુસરીને વ્યાખ્યાકાર વિદ્યાનંદ છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે આના ઉપર વિવરણ રચ્યું છે.
૪૫. કર્મપ્રકતિ મોટી ટીકા-ગ્રંથમાન-૧૩૦૦૦ શ્લોક. આની સ્વહસ્તલિખિત પ્રત પણ મળી શકે છે. પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજે કરેલી નાની ટીકાના આધારે આ મોટી ટીકા બનાવી છે.
૪૬. કર્મપ્રકૃતિ લઘુ ટીકા-આ ગ્રંથની સાત ગાથા સટીક મલી શકે છે, જે આત્માનંદ સભાએ છપાવી છે.
૪૭, તત્ત્વાર્થવૃત્તિ-પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજે - તરવાથધિગમ સૂત્ર નામક ગ્રંથની રચના કરી છે. તેની ઉપર જેમ શ્રી હરિભદ્રસૂરી અને સિદ્ધસેન ગણિ વગેરે મહાત્માઓએ ટીકા બનાવી છે, તેમ
( ગન પોતિક n it !