________________
૧૧.
૮. તત્ત્વાર્થસૂત્રનો ટબો. ૯. દ્રવ્યગુણપર્યાય રાસ (મુદ્રિત). ૧૦. દિપટ ચોરાશી બોલ-આની રચના કાશીથી આવતાં કરી હતી. પંચપરમેષ્ઠિગીતા (મુદ્રિત). ૧૨. બ્રહ્મગીતા (મુદ્રિત). ૧૩. લોકનાલિ (બત્રીશી) બાલાવબોધ (રચના સં. ૧૬૬૫). ૧૪. વિચારબિંદુ. ૧૫. વિચારબિંદુનો ટબો. ૧૬. શઠપ્રકરણનો બાલાવબોધ. ૧૭. શ્રીપાલરાસનો ઉત્તર ભાગ (પૂર્ણ કરવાનો સમય વિ. સં. ૧૭૩૮. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે આ રાસની શરૂઆત કરી હતી. રાંદેરમાં અંતિમ સમય જાણીને તેઓએ પરમ વિશ્વાસભાજન શ્રી યશોવિજયજી મહારાજને તે પૂરો કરવાની ભલામણ કરી હતી. તે પ્રમાણે વાચકવર્ષે આ રાસ પૂરો કર્યો.). ૧૮. સમાધિશતક. ૧૯. સમતાશતક ૨૦. સમ્યશાસ્ત્ર સારપત્ર. ૨૧. સમુદ્રવ્હાણ સંવાદ. ૨૨. સમ્યક્ત્વ ચોપાઈ. ઉપાધ્યાયજીકૃત સ્તવનો
૨૩. આવશ્યકસ્તવન-આમાં છ આવશ્યકનું સ્વરૂપ ફલ વગેરે બીના જણાવી છે. ૨૪. કુમતિખંડન સ્તવન. ૨૫-૨૬-૨૭. વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થંકર પ્રભુ દેવનાં સ્તવનો-આ ત્રણ ચોવીશીમાં પ્રભુભક્તિ વગેરે બીના બહુ જ સુંદર રીતે સરળ ભાષામાં જણાવી છે. તેમાંની એક ચોવીશી શ્રી જૈનશ્રેયસ્કર મંડળે અર્થસહિત છપાવી છે. ૨૮. દશમતસ્તવન. ૨૯. નવપદપૂજા-આમાં શ્રીપાલરાસમાં નવપદનું સ્વરૂપ જણાવતી વેળાએ જે નવ ઢાળો આવે છે તે જ ઢાળો આપી છે. કેટલોક ભાગ વિમલગચ્છના શ્રી જ્ઞાનવિમલસૂરિએ અને કેટલાંક પઘો શ્રી દેવચંદ્રજીએ બનાવ્યાં છે. ૩૦. નયગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન. ૩૧. નિશ્ચય-વ્યવહારગર્ભિત શ્રી સીમંધર પ્રભુનું સ્તવન, ગાથા-૪૨. ૩૨. પાર્શ્વનાથ સ્તવન (ધમાલ). ૩૩. પાર્શ્વનાથ (દાતણ) સ્તવન. ૩૪. મહાવીર સ્તવન. ૩૫. મૌન એકાદશી ૧૫૦ કલ્યાણકનું સ્તવન. ૩૬, વિહરમાન જિનવીશી. ૩૭. શ્રી વીર સ્તુતિ હુંડીરૂપ સ્તવન ગાથા ૧૫૦. આમાં ઢુંઢકમતનું ખંડન કરીને પ્રતિમા પૂજા કોણે કોણે કરી ? તે બીના ઢુંઢકને માન્ય એવાં ૩૨ સૂત્રોમાંના પાઠો જણાવીને પ્રતિમાની જરૂરિયાત વગેરેનું વર્ણન કર્યું છે. ૩૮. શ્રી સીમંધર ચૈત્યવંદન. ૩૯. શ્રી સીમંધર સ્વામિને વિનંતિ ગર્ભિત સ્તવન,
મહાન જ્યોતિષ ૨૦