________________
જવાબ છે કે નિશ્ચયનયનું અવલંબન લઈ તેનો મર્મ ન જાણે અને વ્યવહારનો બોજ વહ્યા કરે તે જિનધર્મ લોપે. નિશ્ચયનય હૃદયમાં ઘરી, તેને અનુસરી, માણસ વ્યવહાર પામે તો તેનેય ભવસમુદ્ર પાર કરવાનો અવકાશ રહે. પુણ્યરહિતને કોઈ આધાર નથી. વળી તેમની પરીક્ષા અગ્નિના તાપથી જ થાય તેમ જ્ઞાનદશાનું પણ આકરું પરીક્ષણ જરૂરી છે. આવશ્યક સૂત્રમાં એ જ અર્થવિસ્તાર ભાખ્યો છે કે ફલસંશય જાણતાં સંસાર જાણવો.
આગળ આચારધર્મની વાત કરતાં ગુરુ કહે છે કે, જેમાં નિજમતિની કલ્પના હોય, જેનાથી ભવ પાર ન થાય, જે અંધ એવી પરમ્પરામાં બદ્ધ હોય તેનો આચાર અશુદ્ધ ગણાય. શિથિલાચારીનાં આલંબન કૂડાં કહેવાય; સાધુ માટે રૂડાં નથી. ઘણા માણસો જાણી જોઈને કે અજાણ્યે પોતાના દોષો જોતાં નથી તેઓ કુમતિ અને કદાગ્રહ સેવે છે. ખરેખર તો સાધના અને ઉત્થાન માટે ઈન્દ્રિયોરૂપી વૃષભને નાથવો જરૂરી છે. સાતમી ઢાળ
ભવકારણને મૃષાવાદ જાણી સાચા ગુરુ શુદ્ધ માર્ગ બતાવે. ગુરુએ બતાવેલા માર્ગે ગતિ કરતાં સાચા હૃદયથી ગુરુને વંદન કરે તે જનો શુભ ભાવને બળે પોતાનાં કર્મ ટાળે છે. સાધુ, વરશ્રાવક વગેરે કલ્યાણ માર્ગે છે, બાકીના ત્રણનો ભવમાર્ગ છે. ગુણો સતત વધારતા જાય, ગુણશ્રેણી ચડતા જાય તે જ જિનવરને પામી શકે. લmદિકથી પણ શીલ ધારણ કરે તે કૃતપુણ્ય કહેવાય; કૃતાર્થ થાય. આઠમી ઢાળ
જે માનવ વિષયારંભનો ત્યાગ કરે તે સ્વસ્થતા સાથે ભવજલનો તાગ પામી શકે. તેને પ્રતીતિ થાય જ કે શુભ ભાવ ધારણ કરી જિનપૂજામાં ભળે તેને માટે વિષયારંભનો ભય નથી. શંકા કુતિ ચિત્તે જે માનવ જિનભક્તિ તજે; દાન-માન-વંદનનો આદેશ ચૂકે તે કલેશમાં પડે. કેવલી જાણે છે જ કે જિનભાવના ભવજલ તરવા-તરાવવાનું સામર્થ્ય ધરાવે છે. અગિયારમી ઢાળ
છેલ્લી ઢાળ એ ઉપાધ્યાયજી યશોવિજયજીની પોતાની પ્રાર્થનારૂપ છે. એમ કહીએ તો ચાલે કે સ્વતંત્ર પ્રાર્થનારૂપે તેને પ્રયોજી શકાય તેમ છે.
જ પોનાપતી n ૨૮