________________
(શ્રીસીમંધરસ્વામીની વિનંતી
આ શ્રી અશોકચંદ્રસૂરિજી મ.
શાસ્ત્રકારોએ દ્રવ્યપૂજાથી ભાવપૂજાનું ફળ અનંતગુણ બતાવ્યું છે, તે જેવાં તેવાં (= રસ વગરનાં) સ્તવનો ન ગાતાં આવાં સુંદર સ્તવનો અર્થ સમજીને, મધર રાગથી, સ્થિરચિત્તે ભાવપૂર્વક ગાવામાં આવે તો જ મળી શકે છે.
ચોવીશી'ની પ્રસ્તાવનામાં આવતું આ વિધાન સવાસો ગાથામાં રચાયેલ શ્રી સીમંધરસ્વામીની વિનંતી અને અન્ય ઘણાં સ્તવનો તથા રાસોને લાગુ પડી શકે. શ્રી સીમંધર સ્વામીનો પ્રશ્ન, તેનો પ્રત્યુત્તર, જરૂર પડી ત્યાં વધુ પ્રશ્નો અને પ્રત્યુત્તર-આ ક્રમમાં આ સ્તવન અગિયાર ઢાળ અને તેની સવાસો ગાથાઓમાં રચાયું છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે શાનનાં અને દર્શનનાં ઉત્તુંગ શિખરો સર કરતાં સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો એક બાજુ રચ્યાં, તો બીજી બાજુ જનસામાન્યને હૃદયગ્રાહ્ય બને એવાં કાવ્યો એની જ ગુજરાતી ભાષામાં પણ રચ્યાં છે જેની ખ્યાતિ આજે મોટી છે. ઉચ્ચત્તમ સાધના કરી, કર્મમુક્ત બની, જ્ઞાનમાર્ગે જન્મજન્માન્તરમાં મોલ સાધવા સતત પ્રયત્નરત માનવો-મહાનુભાવો જેટલો જ સાધનાનો અધિકાર જનસામાન્યનો છે, તેને પણ સાંસારિકતા અને ભવબંધમાંથી મુક્ત બનવાનો અધિકાર છે તે વાત સમજી સ્વીકારી અન્ય જૈન મહારાજોની માફક ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જે સ્તવનો રચ્યાં છે તેમાં સવાસો ગાથાનું આ સ્તવન નોંધપાત્ર છે. આટલી પૂર્વભૂમિકા સાથે, અગિયારઢાળમાં રચાયેલ આ સ્તવનની અગત્યની ઢાળની વિચારણાઆપણે તારવીએઃ પહેલી ઢાળ
આ ઢાળમાં સીમંધરસ્વામી જગતની વ્યથાની ચિન્તા કરતાં સંસારી, જનોની કરુણતાનું ચિત્ર દોરે છે. તેમનું ગુરુ સમક્ષ વિધાન છે કે જગતના
આ પળોમાયતી n ૨૬