________________
લોકો સાચા ગુરુ વિના ટળવળે છે; અનધિકારી લોકો તેમને કુલાચાર અને નીતિ શીખવે છે. જગત સમગ્ર વિષયરસમાં નિમગ્ન છે, જગતમાં સમગ્ર વિષયરસમાં નિમગ્ન છે, જગતમાંવિશ્વાસનોભાવનથી.આજગતનું શું થશે? બીજી ઢાળ
આના જવાબમાં સગુરુએ સાચો માર્ગ બતાવ્યો. તેમણે સલાહ આપી કે પરઘેર ઘર્મ જોવાને બદલે સ્વગૃહે એટલે કે તમારા પોતાનામાં ધર્મ જુઓ. તીર્થકરોએ પ્રથમ આત્મોત્થાન સાધ્યું, પછી જગતનું ઉત્થાન આરંભ્ય, મહાનુભાવો, આચાર્યો, ઉપાધ્યાયો, ગણિઓ આ જ માર્ગે ગતિ કરે છે. જે પોતાનું ઉત્થાન પહેલાં સાધે તેને જ આત્મોત્થાન સાધવાનો અધિકાર છે. બાહ્યમાં ઘર્મ શોધનાર મિથ્યાદષ્ટિ છે. જરૂરી એ છે કે માણસે મિથ્યા ઉપદેશ ન સાંભળવો. જ્યાં પાપ-પુણ્ય, રાગ-દ્વેષ પ્રવર્તમાન હોય ત્યાં ઉપદેશ સાંભળવો શા કામનો ? માણસને માટે જરૂરી છે કે તે જ્ઞાનદશા જાણી લે અને આમરૂપી જ રહે. ત્રીજી અને ચોથી ઢાળ
આત્મદ્રવ્યનું લક્ષણ જાણવું, આત્મતત્વનો વિચાર સતત કરવો. આનાથી ભવ-દુઃખ દૂર થાય છે. નિર્વિકલ્પ ઉપયોગમાં કર્મ સંભવતું નથી. આથી જરૂરી એ છે કે શુદ્ધ સ્વભાવે, મુનિભાવે સમક્તિ કરવું, સંયમ ધરી દેહ ગાળવો, જ્ઞાનદષ્ટિ કેળવી અત્તરદષ્ટિ બનવું, તો જ અક્ષય પદ પામી શકાય. પોતાને છોડી પરના ભાવની ચિન્તા કરે તે પોતાના કર્મની ઘાણીમાં પિલાય. અહીં શિષ્યના પ્રશ્નના જવાબમાં ગુરુ કહે છે કે શુદ્ધનય અર્થ મનમાં ગ્રહણ કરવો. અન્યથા વચનના અભિમાનથી માણસ કર્મ બાંધે છે. આતમરામ જાગે છે અને શુભ-અશુભ વસ્તુના સંકલ્પથી માયા ટળે છે. પર તણી આશા વિષ-વેલ સમી વૃથા છે; ખરેખર આત્માનું ઉત્થાન આત્મા થકી જ સંભવે છે. રાગદ્વેષરહિત શુદ્ધ દયા પામે તે પોતાની શક્તિ અજવાળે છે. એકતા જ્ઞાન, નિશ્ચય દયાને ગુરુ જરૂરી-ભ્રાંખે છે. પ્રથમ સ્વાત્મ પર દયા, પછી બીજ પર. જ્ઞાન વિના આ દયા નકામી છે, નટની માયા શી છે? જિનવચનનો આ સાર છે. પાંચમી અને છઠ્ઠી ઢાળ
અહીં શિષ્યને પ્રશ્ન થાય છે, પચ્ચખાણ કરતાં જ્ઞાનની સાધના સંભવે?
udt i 20