________________
व्याप्येकस्थमनन्तमन्तवदपि न्यस्तं धियां पाटवे ।
व्यामोहे न, जगत्प्रतानक्मृितिव्यत्यासधीरास्पदम् ॥ वाचां भागमतीत्य वाग्विनियतं गम्यं न गम्यं क्वचि
ज्जैनं शासनमर्जितं जयति तद् द्रव्यार्थपर्यायतः ॥ આ નયચક્ર ગ્રંથ ઉપર (લગભગ વિક્રમના સાતમા શતકમાં થયેલા) આચાર્યશ્રી સિંહસૂરિગણિવાદિષમાશ્રમણજી મહારાજે ચોથામાનુસાળી નામની અતિવિસ્તૃત વ્યાખ્યા લખેલી છે કે જેનું ગ્રંથાગ્ર લગભગ ૧૮૦૦૦
શ્લોકપ્રમાણ થાય છે. નવા તરીકે પણ સંભવતઃ આ વૃત્તિનો જ ઉલ્લેખ થતો હતો. - દુર્દેવે ભગવાન મલ્યવાદી ક્ષમાશ્રમણે રચેલા નયચક્રમૂલનો આજે ક્યાંય પત્તો નથી. ઐતિહાસિક ઉલ્લેખો જોતાં એમ લાગે છે કે છેલ્લાં સાતસો વર્ષમાં આ મૂલગ્રંથ કોઈએ જોયો હોય એવો ઉલ્લેખ મળતો નથી. અત્યારે જે મળે છે તે સિંહસૂરિગણિવાદિ ક્ષમા શ્રમણજીએ રચેલી નથ#વૃત્તિ જ માત્ર મળે છે અને તે પણ લેખકોને હાથે ઉત્તરોત્તર થયેલી અશદ્ધિઓથી ભરપૂર થઈ ગયેલી છે. કેટલાકનું એમ માનવું છે કે ઉપાધ્યાયજી મહારાજે નયચક્ર ઉપર ટીકા-ટિપ્પણ આદિ કંઈક લખ્યું છે, પણ તે માન્યતા બરાબર નથી. ટીકા-ટિપ્પણ લખવા કરતાં પણ અતિવિશેષ મહત્ત્વનું તે ગ્રંથની રક્ષા કરવાનું કાર્ય તેમણે કરેલું છે. હકીક્ત એમ છે કે નવક્રવૃત્તિની પ્રતિ તેમના સમયમાં ભાગ્યે જ જોવામાં આવતી હતી. કોઈક સ્થળે (પ્રાયઃ પાટણમાં) તેમના જોવામાં એ પ્રતિ આવી તેથી અત્યંત આનંદિત થઈને તેમણે એ પ્રતિ પહેલાં વાંચી લીધી અને પછી વિદ્વાન સાધુઓનું વૃંદ સાથે રાખીને એક જ પખવાડિયામાં આ મહાકાય ગ્રંથની અક્ષરશઃ નવી કોપી તૈયાર કરી લીધી.આ હકીકતની સ્મૃતિમાં, તેમણે જે નવો આદર્શ (કોપી) તૈયાર કર્યો હતો તેના આદિભાગમાં નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો હતોઉપાધ્યાયજીએ ગ્રસ્થાને મૂકેલી પુપિકા
भट्टारक श्री हीरविजयसूरीश्वरशिष्यमहोपाध्याय श्री कल्याण विजयगणिशिष्य पण्डित श्री लाभविजय गणिशिष्यपण्डितश्री जीत विजयगणिसतीर्थ्यपण्डित श्री नयविजयगणिगुरुभ्यो नमः ।
प्रणिधाय परं रूपं राज्यं श्री विजयदेवसूरीणाम् ।
" પરોબાતી n