________________
सुषुप्ताः भवनमात्रं भावः सर्वत्राविभागा तुरियावस्थेति । अत्राह-अविभागात्मनस्तस्यैवात्मनश्चतुरवस्थत्वात् कालभेदाभावाच्च चतस्त्रोडपि प्रथमद्वितीयतुरीयाख्याः स्युरिति, एतदयुक्तम्, यस्मान्नियता एवैता विमुक्ति क्रमात, सर्वज्ञता वा तुरीयमिति, सुषुप्तावस्थायाः स्थिरीभूतचैतन्यायाः सुप्तावस्था विमुक्तमलत्वाद् द्वितीया मिथ्यादृष्टयादिका, तृतीया सम्यग्दर्शन (ज्ञान) चारित्रात्मिका मुक्ति प्रत्यासत्तेः, सर्वज्ञता चतुर्थी । तत् पुनस्तुरीयं निरावरणमोहविघ्नम.. निर्गता ज्ञानदर्शनावरणमोहविघ्ना अस्मिन्निति निरावरण मोहविघ्नम, मोहस्यैव महास्वापत्वात् ।
- નયચક્ર (આત્માનંદ સભાનું સંસ્કરણ) પૃ. ૧૮૧ અમર યશરવી ઉપાધ્યાયજી
વસ્તતઃ વિચાર કરીએ તો જૈનદર્શન એ કોઈ સંપ્રદાય નથી, પણ એક દિવ્ય તત્ત્વજ્ઞાન છે કે જે તત્ત્વજ્ઞાનમાં સર્વ જીવોના એકાંતે કલ્યાણની અને શ્રેયની જ ભાવના ભરેલી છે. આજના વૈજ્ઞાનિક યુગમાં પણ હિંસાના દાવાનળથી સંતપ્ત થયેલું જગત દીન અને અશરણ બની જે “ત્રાહિ ત્રાહિ”ને પોકારી રહ્યું છે તેને જોઈને કયો સહૃદય મનુષ્ય સર્વજીવવ્યાપક અહિંસા, મૈત્રી અને કરુણાની ઉદ્ઘોષણા કરતા જૈનદર્શનના તત્ત્વજ્ઞાન ઉપર મુગ્ધ ન થઈ જાય? આવા જૈનશાસનમાં જન્મેલા પૂ. ઉપાધ્યાયજી મહારાજ માત્ર જૈનશાસનના જ અલંકારરૂપ છે એમ નહીં, પણ સમગ્ર ભારત અને વિશ્વના અલંકારરૂપ છે.
પૂ. આ. યશોદેવસૂરિ સંપાદિત “ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયસ્મૃતિગ્રંથમાંથી સાભાર)
પરમાતી n ૩૮ )