Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
આધ8 અહો આશધના
તમે યાદ રાખો :
જગતના મિથ્યા પદાર્થોની આરાધના જગતના જીવોને પાપપંકળામાં બાંધી રાખી અંતે | આત્માને ભવબંધનના કારમા ચક્રમાં બાંધી રાખે છે.
એવા મિથ્યા પદાર્થોની પ્રીતિ આત્માની અનંત શાંતિનો નાશ કરી મનને મેલથી ભરપુર બનાવી દે છે અને જીવનની સાચી મધુરતાને હરી લે છે. નવપલ્લવિત વૃક્ષોની મધુર શાખાઓ પ્રસરે જાય છે. મધુર વનસ્પતિના યુથોને ધારણ કરતી કુંજો પોતાની અનેરી ફોરમ જગતમાં પ્રસરાવે છે અને એ સુગંધને ઉપભોગનારને ઘેલા બનાવી મુકે છે, તેમ આત્મા પણ મોક્ષમાર્ગની મધુરતાને પામવા શુભોદયે ઘેલો થાય છે, ત્યારે કામ ક્રોધાથી
શાહુચોરો આત્માના એ ધર્મભાનને ભૂલાવી નાંખે છે અને પ્રિય વાંચક !
એ ભુલભુલામણી ટાળવા માટે જ પુણ્યપર્વોની આરાધના આ શાસને ઉત્તેજી છે. સાચા આરાધકો આરાધનાના પર્વોનો પ્રસંગ પ્રાપ્ત થતા ધર્મપ્રેમમાં ડોલી ઉઠે છે તેમના હૈયા શાસનપ્રેમમાં મુગ્ધ બની જાય છે અને એ અમોધ આરાધનામાં તલ્લીન થઇ આત્માને અમરતાનો અનુભવ કરાવી લે છે.
અને આજે શું છે? સિદ્ધચક્રની શાશ્વતી આરાધના પુરી થઈ નથી, ત્યાં તો સૂર્ય પુરીમાં ઉપધાનના મંગલમય આરંભના વધામણા પૂરી વળે છે.
રખે ભૂલતા! કે આરાધકોને માટે આ સોનેરી અવસર છે, અને તે અવસરનો લાભ લેવો એમાંજ માનવભવની મહત્તા છે.
આ પાક્ષિક ધી “નેશનલ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં નારાયણરાવ આર. દેસાઈએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.