Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૦-૧૧-૩૩
શ્રી સિયક
૮૫૧-સુખનાં સાધનો મફત મળે તે ઉપર આર્યની વિશિષ્ટતા નથી, પણ આર્યની વિશિષ્ટતા ધર્મની
પ્રવૃત્તિમાં છે. ૮૫ર-ધર્મની પ્રવૃત્તિ છે તે તે ક્ષેત્રોને આર્ય ગણ્યા છે અને જ્યાં “ધર્મ એવા અક્ષરો સ્વપ્નય નથી તેને
અનાર્ય ગણ્યા છે. ૮૫૩-જ્યાં આગળ ધર્મ જણાય તે આર્ય અને સ્વપ્ન પણ ધર્મ ન જણાય તે અનાર્ય. ૮૫૪-જીંદગી વહેતી નદીના પાણી જેવી છે. ૮૫૫-આપણું આયુષ્ય પણ ઘટના પાણી માફક વહી રહ્યું છે ચાહે તો ધર્મમાં જોડો અગર ન જોડો
તો પણ એ તો વહેવાનું છે. ૮૫૬-ક્ષણે ક્ષણે જીંદગી ઘટવાની છે માટે. ૮૫૭-જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નર્ક, મોક્ષાદિ તત્વોની માન્યતામાં જુદા જુદા મતો છે. એમાં
મતભેદ છે પણ મોતને અંગે જગતભરમાં એકમત નથી. ૮૫૮-મરણ નહીં માનનારો કોઈ નાસ્તિક નથી. ૮૫૯-જેમ ઘાટનું પાણી સદુપયોગમાં લ્યો અગર ન લ્યો તો પણ ખારા પાણીમાં ભળીને ખારું થવાનું
જ તેમ જીંદગી સાચવીએ તો પણ ફના થવાની છે. ૮૬૦-શરીર, કુટુંબ, રિદ્ધિ વિગેરે જીવને છોડે કે જીવ એ તમામને છોડે? વસ્તુતઃ છુટવાનું છે એમાં
ફરક નથી. ૮૬૧-જીવ માત્ર જીવવાની આશા રાખે છે પણ એમ આશા રાખવાથી જીવન મળી જતું નથી. ૮૬૨-ધન, માલ, મિલકત કુટુંબાદિકના ખાસડાં તો દરેક ભવમાં ખાધાં છે, માથાની તાલ સાજી રહી
નથી, શ્રીસર્વજ્ઞ વચનરૂપી લાકડીનું આલંબન મળ્યું છે માટે રાજીનામું આપી દેવું એજ
બુદ્ધિમાનોનું કર્તવ્ય છે. ૮૬૩-જેનામાં પોતાનો સ્વાર્થ છે તેના રાજીનામામાંથી કોઈ રાજી નથી. ૮૬૪-જૈનધર્મથી આત્મા વાસિત રહે એવી ગુલામીપણું ભલે મળે ! ૮૬૫-ભવાભિનંદીઓ ગમે તેવો પ્રલાપ કરે પણ ધર્મિષ્ઠોનું ધ્યેય તો તેઓના હિતનું જ હોવું જોઇએ. ૮૬૬-મનુષ્ય જો કાર્યનો મુદ્દો ભુલી જાય તો “હીરો ઘોઘે જઈ આવ્યો ને ડહેલી હાથ દઈ આવ્યો
એના જેવું થાય. ૮૬૭-જ્યાં પ્રવૃત્તિથી ફલ ભિન્ન હોય ત્યાં અનંતર ને પરંપર ફલ ભિન્ન હોય, પણ જ્યાં ફલા
ભિન્ન જ ન હોય ત્યાં અનંતર કે પરંપર ફલમાં ભેદ હોય નહિ. ૮૬૮-પંચનમસ્કાર નામનો શ્રુતસ્કંધ સર્વ પાપનો નાશ કરનાર છે. ૮૬૯-ચારિત્ર એ આત્માનો સ્વભાવ છે.