Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૦૧
તા.૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર આ ઢોંગી સુદેવો તો એમાંથી પણ ગયા. તો પછી એમને ઉઘાડા પાડવામાં શું હરકત ?
वपुश्च पर्यङ्कशयं लथं च, दशौ च नासा नियते स्थिरे च ।
न शिक्षितेयं परतीर्थनाथै जिनेन्द्र ! मुद्रापि तवान्यदास्ताम् ॥१॥ હે ભગવન ! આ પરતીર્થિક દેવો તમારા જેવી શાંત મુખમુદ્રા ન રાખી શકયા, તમારા જેવું પર્ઘકાસન ન રાખી શકયા, તમારી માફક સ્ત્રી અને હથિયારથી રહિતપણું ન કેળવી શકયા. આવી રીતે તમારા દેવપણાના બાહ્ય ભેખને પણ ન રાખી શકયા. એમને મુખથી દેવ કેમ કહેવા? આત્માન કર્તા.
આ અનાદિ સંસારભ્રમણ એ અતિ ભયંકર વસ્તુ છે. એનાથી બચાવવાની શક્તિ એ કુદેવ, કુગુરુ અને કુધર્મમાં છે જ નહિ. એટલા જ માટે એ ભવભ્રમણનો અંત લાવનાર સુદેવને, એ ભવભ્રમણના અંત લાવવા માટે રાત દિવસ ઉદ્યમ કરતા સુગુરુને અને એ ભવભ્રમણનો અંત લાવવાને સાચા માર્ગરૂપ સુધર્મને માનીએ છીએ. ભવભ્રમણ એ અનાદિ હોવા છતાં અનંત નથી. એનો અંત આવી શકે છે. એનો અંત લાવવો એ દરેક પ્રાણીના પોતાના હાથમાં છે. પોતે ન સમજે ત્યાં સુધી બીજો કોઈ છોડાવી ન શકે. થાંભલાને બાથ ભીડીને પકડી રાખવાની બૂમો મારનારને કોણ છોડાવી શકે? આત્મા સમજશે ત્યારે સ્વયં એના માટે પ્રયત્ન આદરશે અને એ સુદેવાદિને સાધનરૂપ માનીને પોતાના પરમ ધ્યેયને પ્રાપ્ત કરશે.
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો. શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદશાનાદિસંગ્રહ ૦-૮-૦
શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો, શાસ્ત્રીયપાઠ સહિત રૂ. ૦૮-૦ - તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી રાષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈને આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.