Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૮૯
તા. ૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર પણ ગૌતમસ્વામીને જ ગુન્હેગાર ગણાય. ગૌતમસ્વામીજી ભવોભવના ગોઠીયા છે. આ ભવમાંજ આ દશા છે એમ નથી. કેવા ગોઠીયા? એવા ગોઠીયા કે જેને ભગવાનના પ્રેમની ખાતર કેવળજ્ઞાન આંટા મારી રહ્યું છે, પણ આવતું નથી ; ગૌતમસ્વામીજીનો સ્નેહ કયા પ્રકારનો હતો ? ભક્તિરાગ કે સ્નેહરાગ ? ભક્તિરાગ હતો, જોડે સ્નેહરાગ પણ હતો. ભગવાન મહાવીર જીવ્યા ત્યાં સુધી ગૌતમસ્વામીજી કેવળજ્ઞાની થઈ શક્યા નહિ.
બે પાંચ વર્ષ પછી નૂતન દીક્ષિત મનસુખલાલ (મનકસાગરજી) ભરૂચ જાય તે વખતે કુટુંબીઓ, ભરૂચવાળાઓ સામૈયું કરે. આ સામૈયું ભક્તિરાગથી કે સ્નેહરાગથી ? એમાં સાધુતા તરીકે ભક્તિરાગ છે, અને કુટુંબી કે સ્નેહી તરીકે સ્નેહરાગ પણ છે.
તે વાત ભગવાન મહાવીર મહારાજ પણ ગૌતમસ્વામીજીને કહે છે - વિરસંસિ સિ નવમા !, રિસંશુમો રિ જય !, રિપરિમો સિ નવમા !
અર્થાત્ ઘણા ભવના સંસર્ગવાળો છું, ઘણા ભવના સામાન્ય ને વિશેષ ઉભયરૂપે પરિચયવાળો છું, મારી સાથે રહેલો છું, તે સ્નેહથી જ કેવળજ્ઞાન આંટા મારી રહ્યું છે. એવા ગૌતમસ્વામી હમણાં આરોપીપણામાં આવેલા છે. એ કેસનો ચુકાદો કેવી રીતે દેવાય ? ભગવાનનો નિષ્પક્ષપાત ચુકાદો.
જ્જ પ્રતિવાદી હોય ત્યાં પોતે ચુકાદો ન આપે. ન્યાયના ચોપડામાં લવાદનામું કરવાનું સ્થાન નથી. લવાદનામું બારોબાર થયું હોય તેને નોંધવાનું સ્થાન છે. મરવા સૂતેલા, પથારીના મડદા, રિદ્ધિસિદ્ધિ છોડેલા, એવા આનંદ શ્રાવકની સામા, શાસનના શિરતા જ ભગવાનની જમણી ભુજા એવા ગૌતમસ્વામીજીને મહાવીર મહારાજ ઉભા કરે છે, તે વખતે આત્માની કઈ સ્થિતિ હોવી જોઈએ? એ કેવી ન્યાયની કોર્ટ હોવી જોઈએ? ભગવાન ગૌતમસ્વામીજીને ખડા થવાનો વાંધો નહિ, મહાવીર મહારાજને ચુકાદો આપવાનો વાંધો નહિ. ભગવાન મહાવીર મહારાજ ચુકાદો આપે છે કે-હે ગૌતમ ! તારે મિચ્છામિ દુકકડ દેવાનો છે.
જ્યાં ન્યાય જોવો હોય ત્યાં નાનામોટાપણું, રોગી કે નીરોગીપણું જોવાનું નથી. એ જ્યાં જોવામાં આવે ત્યાં માનો કે ન્યાય થતો હોય તો પણ તે ન્યાય ન્યાયને ભરોસે નથી. જ્યાં ન્યાય ચુકવવો છે, ત્યાં વાદી, પ્રતિવાદી કઈ સ્થિતિના છે તે જોવાનું હોય નહિ. બન્યું શું? હકીકત શી છે? એ જ જ્યાં જોવાનું છે ત્યાં જ ન્યાય થાય છે. અહીં વાદી કોણ? પ્રતિવાદી કોણ એ જોવાતું નથી, પણ વાસ્તવિક રીતે કોને મિચ્છામિ દુકકડ દેવાનો છે એ જોવાય છે. અહીં ઓર્ડર થાય છે-ગૌતમસ્વામીએ મિચ્છામિ દુક્કડં દેવાનો છે. મહાવીર ભગવાનની વીતરાગતામાં જરાપણ ખામી હોત તો, ગૌતમસ્વામીજીને બચાવવા માટે મહાવીર મહારાજ આકાશપાતાળ એક કરી નાખત.