Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૫o .
તા.૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર વંદન કર્યું છે એમ ભગવાન ભદ્રબાહુસ્વામી શ્રીકલ્પસૂત્રમાં સ્પષ્ટપણે જણાવે છે, અને ભગવાનનું ત્રિશલાદેવીની કૂખે સંહરણ કરાવ્યું ત્યારે શસ્તવ કહ્યાની હકીકત કોઇપણ જગા ઉપર શ્રીકલ્પસૂત્ર વિગેરેમાં છે નહિ. આ સર્વ હકીકત ઉપરથી, અને ખુદ્ આચાર્ય ભગવાન અભયદેવસૂરિજીના સમવાયાંગ સૂત્રની વ્યાખ્યામાં કરેલા ઇસારાથી પણ સ્પષ્ટ સમજાય તેમ છે કે તે દેવાનંદાની કૂક્ષિના ભવનું જુદાપણું માત્ર સૂત્રની સંગતિને અંગે જ છે. ખરી રીતે તો નંદનરાજકુમારનો ભવ ભગવાન મહાવીર મહારાજના સત્તાવીસમા ભવની અપેક્ષાએ પચીસમો જ છે. એમ ન માનીએ તો નયસારના ભવથી ભગવાન મહાવીર મહારાજનો સ્થૂળ ભવ અઠ્ઠાવીસમો ગણવો પડે અને તેવી રીતે અઠ્ઠાવીસ ભવ તો કોઈપણ શાસ્ત્રકારે કહેલા નથી. શ્રી ત્રિશલાદેવીને ચૌદ સ્વપ્નોનું જે દર્શન થયેલું છે તે ચ્યવનકલ્યાણકને અંગે નહિ, પણ શ્રીપર્યુષણાકલ્પ આદિના નં યff કુદમ ગુણિ મહાયો રિહા એ વાક્યથી માત્ર કૃષિમાં યશવંત એવા ભગવાન અરિહંતના આગમનની જ સાથે સંબંધ ધરાવનારું છે.) એટલે જો કે ભગવાન મહાવીર મહારાજે તીર્થંકરપણાના કર્મની નિકાચિત દશા પાછલા ત્રીજા નંદનના ભવમાં કરી છે, છતાં તે તીર્થકર નામકર્મની અનિકાચિત અવસ્થા હોય અને તે તીર્થંકરનામ કર્મ બંધાયેલું હોય તો તે અંતઃ કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળું હોય છે. અંતઃ કોટાકોટિ સાગરોપમથી વધારે સ્થિતિ જિનનામકર્મની ન હોવાથી ભગવાન મહાવીર મહારાજને નયસારના ભવથી મરીચિના ભાવમાં પણ ભગવાન મહાવીર મહારાજના ભાવમાં વેચવાના તીર્થકર નામકર્મનો બંધ ન હોય તે સ્વાભાવિક છે, કેમકે ખુદું મરીચિના ભવથી પણ મહાવીર મહારાજનો સમય કોડાકોડિ સાગરોપમ છે. (આ ઉપરથી સ્પષ્ટ થશે કે ચક્રવર્તી ભરત મહારાજે મરીચિને ભવિષ્યમાં ચરમ તીર્થંકર મહાવીર મહારાજ થવાના જાણીને “તારા આ જન્મને નથી વાંદતો, તારા પરિવ્રાજકપણાને નથી વાંદતો” આમ કહી પોતાના વહાલા પુત્રની પણ નિર્ગુણ અવસ્થા અને તેને લીધે તેની અવંદનીયતા સ્પષ્ટપણે જણાવી, માત્ર ભવિષ્યના તીર્થંકર પણાને અંગે જ વંદન કર્યું છે તે વખત પણ ભગવાન મહાવીર મહારાજના જીવ મરીચિને આ તીર્થકર નામકર્મનો બંધ પણ ન હતો. જો કે ચક્રવર્તી ભરત મહારાજને તો તીર્થકર મહારાજ પ્રતિઅપૂર્વ પ્રેમ હતો અને તેથી તેમણે તે વર્તમાન દશાને તિરસ્કારીને પણ ભવિષ્યની તીર્થંકરપણાની અવસ્થાને અંગે વંદન કર્યું) અર્થાત્ તીર્થકર નામકર્મ ભગવાન મહાવીર મહારાજે મરીચિના ભવ પછી કોઈપણ ભવમાં બાંધ્યું હોય તો પણ ભગવાન હરિભદ્રસૂરિજીના લલિતવિસ્તરાના કથન પ્રમાણે તીર્થકર મહારાજના જીવોમાં વિશિષ્ટ પ્રકારનું તથા ભવ્યત્વ સમ્યકત્વની પ્રથમ પ્રાપ્તિ પહેલાં પણ હોય છે એ વિશિષ્ટ તથા ભવ્યત્વને અનુસારે નયસારના ભવમાં પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત થવા પહેલાં પણ વિશિષ્ટ તથા ભવ્યત્વ હોય અને તેથી તેમનામાં પરહિતરતપણું હોય એમાં કંઈ નવાઈ નથી, માટે ભગવાન મહાવીર મહારાજના પરહિતરતપણાનો વિચાર નયસારના ભવથી કરીએ તો તે યોગ્ય જ ગણાશે.