Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 706
________________ તા. ૮-૧૦-૩૪ શ્રી સિદ્ધચક પર - જુજ. લોકોને રાજી કરવા માટે પ્રયત્ન કરનારો કયો પ્રયત્ન કરે ? નેકીનાં દશ્યોને તો માત્ર દેખાડવા રૂપ, છાંટા માત્ર લાવે છે. એકલા ધોળા (સફેદ) વસ્ત્રની શોભામાં અને તેમાં લાલ લીટી દોરી હોય તે શોભામાં ફરક છે. નાટકવાળો નેકીનાં દશ્યો લાવે છે તે પણ બદીની શોભા પુરતાં છે. બદીની શોભા માટે એ નકી છે. ધોતીયામાં કીનાર (કીનારની જગ્યા) કેટલી? જ્યાં નેકી એ પણ બદીની શોભા માટે ત્યાં શ્રોતાને તથા દષ્ટાને અસર કઈ થાય? નાટકશાળાની આજુબાજુ ચા, પાન, બીડી, સીગારેટ, ચેવડા, ભજીયાવાળાની, કંદોઈની, સોડાલેમન, ફુલફીવાળાની દુકાનો થઈ પણ દહેરાં, ઉપાશ્રય, પૌષધશાળા, પુસ્તકાલય, દાનશાળા, અનાથાશ્રમ, પાંજરાપોળો મઠ વિગેરે કેટલાં થયાં? જો બેયનો નમુનો કહો તો નેકીના નમુનાનું સાધન તો બતાવો ? બદીના સાધનની દુકાનો તો પુષ્કલ (ત્યાં) હોય છે. જ્યારે એની આસપાસ ધર્મનું મકાન થતું નથી, કોઈ ધર્મ કાર્ય બનતું નથી તો કહેવું પડશે કે નાટકમાં દેખાડાતી નેકી પણ માત્ર બદીની શોભા તરીકે છે. નાટકમાં જેમ જેમ રાત મોડી થશે તેમ તેમ જોનારને ટેસ્ટ (રમુજ) વધારે પડશે. નાટક જોનારને ઉજાગરાના કારણે બીજે દિવસે એનો ધંધો પણ બગડે છે છતાં ઉજાગરો વેઠી, ધંધાને ધકેલીને પણ નાટક જોનારો એમાં કેટલું સુખ, કેટલી રમુજ, કેટલી મોજ માને છે ? સિદ્ધનું (મોક્ષના જીવોનું) સુખ, આનંદ અનંત, અપાર, નિસીમ છે, વચનાતીત છે. આવું જુઠું નાટક જોવામાં જો આવો રસ આવે તો જગતભરના સાચેસાચા બનાવોને જોઈ રહ્યા હોય એમને (સિદ્ધોને) કેટલું સુખ! ત્રણે કાલના સર્વ દેવતાના સાચા નાટક (દેવતાની રમુજ જેમાં રહેલી હોય તે) દરેક સમયે તેમના જોવામાં આવે છે. બધા દેવતાના બધા નાટકો સમયે સમયે જોવામાં આવે તેને કેટલું સુખ હોય ! ઈદ્રિયની અપેક્ષાએ કહીએ છીએ. સો અગર સેંકડો માઈલ દૂર દેખી શકાય એવા ચશ્મા પહેરીએ તે વખતે આનંદંમાં આવી જઈએ છીએ, શાથી? નવું કાંઈ દેખ્યું નથી, માત્ર પોતાની દૃષ્ટિમર્યાદા વધી એથીને ! જ્યારે હજાર પંદરસેં માઇલમાં આટલું સુખ લાગે તો જેઓને લોકાલોક સમયે સમયે દેખાય છે તેના સુખની સીમા શી? એ સુખ નિઃસીમ છે. અસંખ્યાત કોડાકોડ જોજનનો એક રાજલોક, એવા અસંખ્યાતા લોકો અવધિજ્ઞાની દેખી શકે જ્યારે કેવળજ્ઞાની સર્વ લોકાલોક દેખી શકે. ન જાણેલી એક ચીજ જાણવામાં આવે ત્યારે કેટલો આનંદ થાય ? તો પછી સર્વ લોકાલોક જણાય અને દેખાય તેને ત્યારે કેટલો આનંદ થાય ! એ બધું તપાસો તો સિદ્ધનું સુખ અનંત છે એ વાત બરાબર હૃદયમાં ઠસશે. અહીં જરાક રોગ મટે તેમાં સુખ ગણાય તો જેઓને રોગો છે નહિ, કોઈ કાલે પણ રોગો થવાના જ નથી, આવું નક્કી થાય તેઓના સુખનો કાંઈ પાર ? જન્મ, જરા, મરણ, અનિષ્ટ સંયોગ, ઇષ્ટ વિયોગ આ બધાં દુઃખ જે આ જગતમાં ચાલુ છે એ તમામ તેમને કોઈ દિવસ થવાનાં નથી; વિચારો કે મોક્ષના જીવોના

Loading...

Page Navigation
1 ... 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726