Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 714
________________ તા. ૮-૧૦-૩૪ yoo શ્રી સિદ્ધચક્ર ક સફળ કાર્યવાહી ચાને દ્વિતીય વર્ષની સમાપ્તિ. 8 જડવાદના જવલંત જમાનામાં જૈનત્ત્વનું અજોડ જવાહર ઝળકાવતાં શ્રી સિદ્ધચક પાકિ આજે દ્વિતીય વર્ષની સમાપ્તિ કરે છે. આ પાક્ષિકપત્રની અમૂલ્ય સેવાથી ભાગ્યેજ કોઈ અજાણ્યું હશે. જૈનસમાજને જડવાદના જડબામાં ખેંચાઈ રહેલો નિહાળી, જૈનત્ત્વનું છડેચોક લીલામ કરવા, ઉત્સાહી બનેલા આજના કહેવાતા કેળવાયેલા યુવકવર્ગની જાળમાંથી બચવા, તેમજ અજ્ઞાનતાથી આગ્રહ પકડવાની ટેવથી યા તો જનતામાં, પામેલી પ્રસિદ્ધિના નાશની દાક્ષિણ્યતાથી પ્રચારાતું અજ્ઞાન અને અતત્ત્વ નિહાળી સનાતન સત્યની જાહેરાત માટે, જ્ઞાનપિપાસુઓની તૃપ્તિ માટે, શંકાશીલોની ભ્રમણા ટાળવા માટે એક પત્ર પ્રગટ કરવાની ખાસ આવશ્યકતા લાગવાથી પરમપૂજ્ય આગમના અખંડ અભ્યાસી વાદિમદભંજક, વાદિગજકેસરી, આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્દ સાગરાનંદ સુરીશ્વરજી મહારાજને આગ્રહભરી વિનંતિ કરવામાં આવી હતી. પરમકૃપાળુ આચાર્ય મહારાજાએ અમારી વિનંતિ સ્વીકારી જૈન સમાજ ઉપર ભારે ઉપકાર કર્યો, જેના પરિણામે શ્રી સિદ્ધચક પાક્ષિકની શરૂઆત કરવામાં આવી. આજે આ પાક્ષિક બીજા વર્ષની સંપૂર્ણ સફળતાથી પૂર્ણાહુતિ કરે છે. અમારા માનવંતા, તત્ત્વજિજ્ઞાસુ જ્ઞાનના શોખીન ગ્રાહકોને જેમ બને તેમ રસમય તથા તત્ત્વમય વાચનનો લાભ આપવા હરહંમેશ નવીન તત્ત્વો પ્રગટ કરવા મહેનત કરીએ છીએ, તેમજ અમારા ગ્રાહકોને કાંઈ પણ નવીન તત્ત્વ જાણવાની ઇચ્છા થાય તો તે બાબત સૂચના કરવા નિમંત્રણ આપ્યું હતું, તેમજ આપીએ છીએ. બીજા વર્ષ દરમ્યાન વાચકોને ઘેર બેઠાં આગમની તત્તમય વાણીના રસનો લાભ મળે તે માટે પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય મહારાજે શ્રી નંદીજી આગમને અંગે ચાર નિક્ષેપાનું કદી પ્રગટ ન થયેલું તેમજ કોઇપણ સ્થળે અપ્રાપ્ય તેવું નિરૂપણ પ્રગટ કરવું શરૂ કર્યું છે, જેમાં આગમના ગૂઢ તત્ત્વોનું યુક્તિપ્રયુક્તિથી એવું તો ધ્યાન આપવામાં આવે છે કે આગમના અભ્યાસીઓ સ્વયં મુક્તકંઠે કબુલે છે કે આવું જ્ઞાન કોઈપણ સ્થળે પ્રાપ્ય નથી. તેમજ એક સમાલોચના વિભાગ પાડી તેમાં પત્રો તેમજ આધુનિક પેપરો જેવાં કેદૈનિક, અઠવાડિક પાક્ષિક યા તો માસિકો, જેમાં જૈનતત્ત્વ પર અસત્ય પ્રહારો તેમજ આક્ષેપોવાળું લખાણ પ્રગટ કરવામાં આવે છે, ચાહે અહપંડિતાઈને અંગે, ચાહે વિતંડાવાદને અંગે યા તો દાક્ષિણ્યતાને અંગે કરાતા હોય તેના નિષ્પક્ષપાતપણે શાસ્ત્રાધારે સચોટ રદીયા આપવામાં આવે છે જેથી ભાવિપ્રજા પણ આજે પ્રચાર પામતા અસત્યો અને અતત્ત્વોને સત્યરૂપે માની ઉંધા માર્ગે ન દોરવાઈ અને સ્વયં વિચારક બની સત્યાસત્યનો વિવેક કરી પોતે ઉત્સુત્ર પ્રરૂપણા કે માન્યતાના ભાગી ન બને. આવી સમાલોચના કરતાં આજે અમારા

Loading...

Page Navigation
1 ... 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726