Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પ૦૪
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર ૧૩ બકુશકુશીલ વિગેરે ભેદો છઘસ્થોને ઓળખવા માટે નથી એવું કહેનારે પાઠ રજુ કરવો.
(જૈન જ્યોતિ તા. ૨૫-૮-૩૪) **** ** સામાન્યરીતે તાડપત્ર મોટાં જ હોય ને ઘણી પ્રતો મોટા તાડપત્ર ઉપરજ છે ને તેથી જ વચમાં તથા બે છેડા ઉપર કોરી જગ્યા દોરીને સ્થાને રહે છે ને મોટાની અપેક્ષાએ તે બંધન કલ્પાય છે. પુસ્તક ઉપર જ વાચન છતાં પુસ્તકસંગ્રહને સંયમ ગણાવ્યું ત્યાં પણ બંધનનો લેખ નથી માટે કદાચ તે કારણ હોય તે પ્રમાદ હોય તો જ્ઞાની જાણે. કારણ અને વિધાનનો સ્પષ્ટ લેખ કેમ નથી અપાતો?
પ્રસંગાપાદન ને સલાહનો ફેર ન સમજે તેને શું કહેવું? ૩ થુંકથી કલાકો સુધી ભીની અલગ રહેતી મુહપત્તિમાં જીવોત્પત્તિ ન માનવા શરીરે લાગેલા પરસેવાથી
ભીનાં કપડાં આગળ કરનારને શું કહેવું?
પંચવસ્તુની ૯૭૫ ગાથાના અર્થમાં ચર્ચાસારમાં બાંધવાનો અર્થ ખોટો જણાવ્યો છે ને? ૫ સાધુના મૃતકને રોકવું પડે તો કહેલું મુખ્યબંધન કરવા તે વખત કાન વિંધવા એમ કહેનારે તે પાઠ
આપવો (અંગુલીનો છેદ તો કહ્યો છે ને તે ક્ષતપણા માટે છે, જો કાન વિંધ્યા હોય તો તેની જરૂર
શી ?) ૬ આચારદિનકર ને આવશ્યક બાલબોધ વગેરેમાં મુહપત્તિના આઠપડનો લેખ છતાં ને બંધનવાળાની અપેક્ષાએ બારસેવખતે આઠપડે બંધાતા છતાં તેનો અનિયમિત કરતાં પાઠની જરૂર છે.
(જૈન ૩૦-૯-૩૪) ******* ૧ શ્રી વીરભદ્રજીની ટીકાના આધારે ઉંટડીનું દુધ અભક્ષ્ય જણાવનારે પાઠ અર્થ સાથે જાહેર કરવો
(તે ટીકા ઘણે સ્થાને ધ્યાત છે) ૨ શ્રીમાનું સમયસુંદરના વચન પ્રમાણે અભક્ષ્ય કે ભઠ્યપણાનો કેવળીને નિર્ણય ભળાવ્યા છતાં અભક્ષ્ય
જ છે એમ કહેનારે વધારે પાઠ આપવો સમયસુંદર તો સીંગોડાને પણ અભક્ષ્ય ને સાંગરનું વિદલ
માને છે કે ? ૩ ઉંટડી અને ઘેટી બંનેનાં સરખાં શ્રી સમયસુંદરે શ્રી વીરર્ષિને નામે અભક્ષ્ય કહ્યાં તો ઘેટીનું દૂઘ કેવું
ગણાય તે જાહેર કરવું ને ઘેટીના દહીં અને ઘીને પણ અભક્ષ્યની શંકાથી છોડવાલાયક ગણવાં કે
કેમ ? ૪ શ્રી આવશ્યકવૃત્તિ, પંચવસ્તુવૃત્તિ, યોગશાસ્ત્રવૃત્તિ ને પચ્ચકખાણભાષ્ય આદિ પ્રૌઢ ગ્રંથોમાં દશ
વિગઈઓમાં ચારને અભક્ષ્ય કહી બાકી દુધ આદિ છએ સમભેદ ગણાવી સ્પષ્ટપણે ભક્ષ્ય કહી છે. શ્રી આવશ્યકના બાલાવબોધમાં ઉંટડીના દુધ માટે તમે આપેલા પાઠમાં “અયોગ્ય' એવો શબ્દ છે ને તે તો લોકવ્યવહાર પણ ઘટે, પણ પાપજનકપણાને જણાવનાર અભક્ષ્યશબ્દ કયા શાસ્ત્રથી વપરાયો છે?