Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 705
________________ પ૧ શ્રી સિદ્ધચક તા.૮-૧૦-૩૪ જેને ખસ થઈ હોય તે ખણે ત્યારે એમાં સુખ માને છે, જેને ખસ નથી થઈ તેને એ સુખ, એ રમુજ નથી તો એ (નીરોગી) સુખી નથી એમ? પેલો રોગી છતાં ખણવામાં રમુજ માને છે. એ રીતે આપણે પૌગલિક સુખની બેડીમાં જોડાયેલા, ઈદ્રિયોના સુખમાં આનંદ માની બેઠેલા છીએ. જેને ખસ થઈ નથી તેને ખણવાની આવી મોજ નથી એવું જેમ ખસવાળો માને, એવું જ માનવું, આપણા જેવું સુખ સિદ્ધ સુખમાં (મોક્ષમાં) નથી એમ માનવામાં આવે છે. ખસ એ શરીરનો વિકાર છે, તેનાથી આવેલી ચેલને દૂર કરવા ખણવામાં જેમ પેલાએ મોજ માની, સુખ માન્યું તેવી રીતે આપણને થતા દુઃખો દૂર કરવામાં આપણે સુખ માનીએ છીએ. બેશક ! એવું સુખ મોક્ષમાં નથી. નિરોગીનું સુખ સ્વાભાવિક છે, પેલા રોગીને (ખસવાળાને) સુખ માત્ર ખણવામાં છે, બાકી દુઃખ ચોતરફ છે. એણે ચેળ દૂર કરવા ખયું તેટલી વખત સુખ, તેવી રીતે આપણે પણ દુઃખનો નાશ કર્યો તેટલી વખત સુખ પણ તેનાં કારણ કાર્યોમાં દુઃખ છે. સિદ્ધ મહારાજાને આમાંનું કાંઈ નથી. એમને સાંસારિક ઈચ્છાઓ નથી, ગયાનો શોક નથી, આવ્યાનો હર્ષ નથી, આમાંનું કશું તેમને નથી એમનું સુખ સ્વાભાવિક છે. આપણે અહીં ઈદ્રિયોના આધારે-ઈદ્રિયોના સુખને આધારે સુખ માન્યું છે. નાટક એ દુનિયાનું દર્પણ કે બદીની નિશાળ? પરસેવો ઉતારીને પેદા કરેલા પૈસા ખરચી ટિકિટ લઈ, નિદ્રાના ભોગે (ઉજાગરો કરીને) પણ નાટક જોનારો (નાટક જોવા જનારો) નાટક જુએ છે ને ! નાટક એ બનાવટી છે. ખરી ચીજને કોઈ નાટક કહે નહિ. એ શબ્દ જ સૂચવે છે કે એ બનાવટી છે. જોનાર પણ એ જાણે છે ને ! બદીની નિશાળ નાટક છે. કેટલાક કહે છે કે “નાટક એ જગતનો અરીસો છે, દુનિયાનું દર્પણ છે, કેમકે જગતમાં જે થઈ રહ્યું છે તે બધું એ બતાવી રહ્યું છે. અરીસામાં જોઈએ તો મોઢા પર ડાઘ હોય તો દેખાય, મોઢું ચોખ્ખું હોય તો ચોખ્ખું દેખાય; અરીસો કાંઈ ડાઘ, ચોખ્ખાપણું કરતો નથી; તેવી રીતે નાટકનું કામ નથી બદી ઉભી કરવાનું કે નથી નેકી ઉભી કરવાનું તો પછી એને બદીની નિશાળ કેમ કહેવાય?” આ વાત બરાબર વિચારો. સામાન્ય દૃષ્ટિએ જોતાં એ બદીની નિશાળ નથી એમ જણાશે પણ જરા ઉંડાણથી વિચારતાં એ વાત બરાબર સમજાશે કે એ બદીની નિશાળ છે. નાટક કરનારા કમાવા માટે નાટક કરે છે. પોતાને (પોતામાં મોં) જોનાર રાજી થશે કે નારાજ એની દરકાર અરીસો કરતો નથી પણ નાટક જોનાર રાજી થશે કે નારાજ એની દરકાર નાટકવાળા કરે છે તેથી અરીસાના દષ્ટાંતને અહીં મુદ્દલ સંબંધ નથી. દુનિયામાં ઘણા જીવો વિષયકષાય, આરંભસમારંભમાં આસક્ત છે. બદીમાં કુદવાવાળા જીવો ઘણા, જ્યારે નેકીમાં ટકવાવાળા

Loading...

Page Navigation
1 ... 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726