Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર વર્જવાં તે પણ લૌકિક જણાવે છે છતાં પણ તેવા કુળોમાં આહાર પાણી લેનાર સાધુને નિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત જણાવે છે, સૂતકવાળાના ગૃહો વર્જવાં અને સૂતક પાળવું એ શાસ્ત્રાનુસારી હોવા સાથે ગચ્છમર્યાદાને પણ અનુસરતુ જ છે.
પ્રશ્ન ૭૦ર- બહાર દેશાવર પોતાના કુટુંબી સગો રહેતો હોય અને ત્યાં મરણ થયું હોય એવા સમાચાર આવવાથી સૂતક લાગે કે નહિ અને કેટલા દિવસે જિનપૂજા થાય?
સમાધાન- શાસ્ત્રકારોએ સામાન્ય રીતે જન્મ મરણના સ્થાનને અંગે જ અશુચિપણું માનેલું છે, અને તેથી દેશાંતરે થયેલા મરણના સમાચારથી સૂતક પાળવાનો સંબંધ રહેતો નથી, પણ સૂતકાદિ તો શું પણ ખુ સ્નાન પણ શાસ્ત્રકારોએ અનુવાદનીય માનેલું છે, પણ વિધેય તરીકે માનેલું નથી, તેથી લોકમાં સિદ્ધ રીતિને અનુસારે દશ દિવસમાં જેટલું બાકી હોય તેટલો કાળ અશૌચપણું પાળવું એમ લૌકિક રીતિના મૂળભૂત સ્મૃતિઓ કહે છે.
પ્રબ ૭૦૩- જેના ઘરમાં પોતાની સ્ત્રીને તથા પોતાની દીકરીને, અથવા પોતાના ભાઈની સ્ત્રીને, તથા સગાભાઈની દીકરીને સુવાવડનો પ્રસંગ થાય ને તે ઘરના રહેનાર ચુકતાં માણસ તે ઘરથી અલગ (જુદા) જમે અને સુવાવડવાળા ઘરનો કોઈ જાતનો સંબંધ રાખે નહિ, તો અલગ રહેનારા માણસોને સૂતક લાગે કે નહિ ?
સમાધાન- શાસ્ત્રકારોના વચન પ્રમાણે જે સ્થાનમાં જન્મસૂતકદિ હોય તે સ્થાનમાં જ અશુચિ ગણાય છે, અને વર્તમાનમાં રિવાજ પણ એવો છે કે પ્રસૂતિવાળી બાઈ સર્વથા ભિન્ન સ્થાને રહે તો કુટુંબીઓને અશૌચ લાગતું નથી, અને તેથી તે ભિન્ન સ્થાને રહેલા કુટુંબીઓ જિનપૂજાજિક કાર્યો કરે છે, એ બાબતનો શાસ્ત્રકારોએ વિશેષ ખુલાસો કર્યો હોય એવું ધ્યાનમાં નથી.
પ્રશ્ન ૭૦૪- એકજ મોભારાથી પાંચ સાત ઘર હોય અને વચમાં કોઈ ઘરમાં સુવાવડનો પ્રસંગ આવે તો બાકીના રહેલા ઘરોવાળાને સૂતક લાગે કે નહિ? અને સૂતક કેટલા દિવસનું લાગે અને કેટલા દિવસે જિનપૂજા થાય ?
સમાધાન- શાસ્ત્રકારોએ સૂતકસ્થાનથી સો હાથ સુધી અશુચિ ગણી સ્વાધ્યાય વર્જવા માટે સાધુઓને ફરમાન કર્યું છે, તે અનુસાર સૂતકનું સ્થાન નિકટ હોય તો અપવિત્રતા માનવી એ હિસાબે એક મોભવાળા સ્થાનો વર્જવાનો વ્યવહાર ચાલ્યો હોય એમ જણાય છે. સૂતકનું પ્રમાણ દશ દિવસ છે એ વિગેરે ઉપર જણાવવામાં આવેલું છે.
પ્રશ્ન ૭૦૫- પોતાના ઘરમાં મરણ થાય તો તેને કેટલા દિવસનું સૂતક લાગે?
સમાધાન- સૂતકને માટે દશ દિવસ વર્જવાની વાત ઉપર જણાવેલી છે. તેથી વધારે ઓછું કરવાનું કંઇ કારણ આમાં જણાતું નથી.
પ્રશ્ન ૭૦-પપ્ની, ચોમાસી તથા સંવત્સરી પ્રતિક્રમણમાં મોટી શાંતિ અને છેલ્લો લોગસ્સ બોલાયા પછી સંતિકર બોલવું જ જોઇએ ?
સમાધાન- સંતિકર એ નવસ્મરણમાંનું એક સ્મરણ છે, પાપ હરનાર હોવા સાથે વિદનનું નિવારક છે, પૂર્વ પુરુષોએ તેનું કથન આચરેલું છે, અને સંતિકરની ટીકાની અંદર પાક્ષિકને દિવસે તેના પઠનનો