Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૪-૮-૩૪
૫૧૬
શ્રી સિદ્ધચક્ર લબ્ધિ માટે તપશ્ચર્યા કરી તો લબ્ધિ થાય છે ને ! દ્રૌપદીએ તપ કરીને ધર્મના ફળ તરીકે દુનિયાદારીના ફલરૂપ પાંચ ભર્તાર માગ્યા તો તે અશુભ ફલરૂપ છતાં પણ મળ્યાને ! વાસુદેવે નિયાણું કર્યું તો તે વાસુદેવપણારૂપ ફળ ભલે ભવિષ્યમાં દુઃખલાયક થયું છતાં પણ મળ્યું ને ! વસ્તુનું ફળ મળે છે. એવી રીતે અપેક્ષાએ કરેલ પણ વ્રતાદિક ઇષ્ટ વસ્તુને તો મેળવે જ છે.
શંકા-ત્યારે અપેક્ષા (લાલચ), ભવિષ્યમાં તૂટવું વિગેરેને અનુમોદન આપો છો ? ના! અનુમોદના તો માત્ર વિરતિને જ આપીએ છીએ નિશાળમાં મૂળમુદ્દો કેળવણીનો હોય છે પણ નોકરી મેળવવાના ઉદ્દેશથી પણ જવાય છે ને ! એવી રીતે ધર્મમાં કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે પ્રવર્તે તો પણ ધર્મ એ ઉત્તમ જ છે. દ્રવ્યપણાનું કારણ તો તે તે નિયમ પૌગલિક ફળ માટે છે, આત્મીય ફલ માટે નથી. તુટવાવાળાને પણ દ્રવ્યથી કરવાવાળાને, લાલચ ને અવિધિથી કરવાવાળાને પણ એક વસ્તુ હોય તો તે પચ્ચખાણ આત્મકલ્યાણ માટે જરૂર થાય. એ વસ્તુ ન હોય તો તે પદ્ગલિક વસ્તુ માટે થાય છે. તે વસ્તુ એ જ કે વિનોમિતિ સદ્ધ અર્થાત્ આ પ્રત્યાખ્યાન ભગવાન તીર્થકરોએ મોક્ષને માટે કહ્યું છે માટે કરવું જ જોઇએ એવી ધારણાવાળો હોય તો તેનું દ્રવ્યપ્રત્યાખ્યાન પણ ભાવપ્રત્યાખ્યાનનું કારણ બની આત્મકલ્યાણ મેળવી આપે છે. આ પ્રત્યાખ્યાન દુનિયામાં રાજ્યમાં રમી રહેલા કરવા તૈયાર નહોતા. ફક્ત તીર્થકર મહારાજા કે તેમની માફક બીજા સમ્યકત્વવાળા સિવાયના જગતના જીવો વિષયાનંદમાં આનંદ માનનારા હતા, પણ વિરતિ કરવી એ નિરૂપણ, તો સર્વજીવને હતિ કરનાર જ છે માટે ભગવાન જિનેશ્વરોએ જગજંતુ માત્રની ઉપર હિતબુદ્ધિરૂપ મૈત્રીના યોગે વિરતિ કરવી એવી પ્રરૂપણા કરેલ છે. - વિશ્વપ્રેમ અને મૈત્રીમાં ફેર (ફરક) શો ? મૈત્રી એ હિતચિંત્વન છે જ્યારે પ્રેમએ રાગ છે અનર્થનું કારણ છે. બંધુત્વ પરિહાર કરવા લાયક છે. મૈત્રી શબ્દ હિતચિંત્વનને અંગે જ છે. પરહિતચતા મૈત્રી દ્રવ્ય દયા એ તો મહેતલરૂપ છે. જ્યારે ભાવદયા એજ મૈત્રીનું તત્વ છે. સર્વ જીવોના હિતનો વિચાર એ મૈત્રી છે. આત્માના ગુણો કેમ પ્રગટ થાય, ગુણોને રોકનાર કર્મો કેમ ખસે ? આ ભાવના એ મૈત્રી. એવી હિતચિંતારૂપ મૈત્રીને યોગે જણાવેલ વિરતિ એ શબ્દ જગતમાં જે જે પાપનાં કારણો છે તેને દૂર કરવા ઉપદેશ કરે છે, જિનેશ્વરની દેશનાનું ફળ પણ એ જ વિરતિ છે. ભગવાન મહાવીરના પહેલા સમવસરણમાં કંઈ જીવોને સમ્યગુજ્ઞાન થયાં સમ્યગુદર્શન થયાં પણ દેશના નિષ્ફળ કેમ કહી ? કોઇને વિરતિ ન થઈ તેથી. વિરતિને પ્રરૂપનાર અને વધારનાર જિનેશ્વર છે, કહેનાર પણ તે જ છે. વિરતિને નિરૂપણ કરનારા જિનેશ્વરોએ મોક્ષ માટે, આત્મકલ્યાણ માટે વિરતિનું નિરૂપણ કરેલું છે. આટલું નિશ્ચિત થયા પછી સમજાશે કે અપેક્ષાદિકારણોવાળા પણ પચ્ચકખાણો શ્રી જિનેશ્વર મહારાજાઓએ મોક્ષ માટે અવશ્ય કરવા લાયક છે એમ કહ્યું છે માટે મારે મોક્ષ પ્રાપ્તિ માટે