Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર
પN
અને જેથી રાજ્યેશ્વરને નરકેશ્વર કહેવામાં કાંઈક આચકો ખાવો પડે. ૧૬ કરની વૃદ્ધિ કરવાવાળો રાજા પ્રથમ નંબરે સુખીઓને સતામણીના જ કાર્યમાં પ્રર્વતે છે એ આ વાત સર્વ કોઇને અનુભવસિદ્ધ છે, અને આ જ કારણથી કવિઓ પણ રાજાઓને ઉનાળાના
સૂર્ય જેવા ગણાવી ભયંકર ચીતરે છે. ૧૭ કર વધારનારો રાજા સુખીઓને એકલાને જ સતાવે છે એમ નહિ પણ ગરીબ બિચારી
ખેડુત પ્રજાને પણ ચૂસવામાં કમી રાખતો નથી. ૧૮ વ્યાપારીઓના વ્યાપારને પણ કરનો લોભી રાજા નિસાર બનાવી હેરાનગતિમાં નાખે છે. ૧૯ રાજ્યેશ્વરપણામાં લોભની સીમા તૂટી જતી હોવાથી તે રાજ્યેશ્વર રાતદિવસ અર્થની ચિંતામાંજ
ચકચૂર રહે છે. ૨૦ અન્ય રાજ્યોમાં થતી સમૃદ્ધિ દેખીને તે રાજ્યશ્વરપણાના સ્વભાવને લીધે જ આખા આત્મામાં
ઈર્ષાનો અગ્નિ સળગે છે. ૨૧ પરસંપત્તિની ઈર્ષ્યા થયા પછી પોતાની પુણ્યદશાની ખામીને લીધે અધિક સંપત્તિ ન મળી
શકે તો પણ તે અધિક સંપત્તિવાળોના છિદ્રને ખોળવાવાળો થાય છે. ૨૨ અધિક સંપત્તિવાળાને કોઈક તેવા પાપના ઉદયે થયેલી સંપત્તિની હાનિમાં તે નરકેશ્વર
થવાવાળો રાજેશ્વર અંતઃકરણથી આનંદને અનુભવે છે એવી દશામાં નરક કાંઇ દૂર નથી
એ સાહજિક જ છે. ૨૩ રાજેશ્વરપણામાં અધિક પ્રાણઘાતક હથિયારો અને મનુષ્યોની ઈચ્છા રહે તે સ્વાભાવિક જ છે. ૨૪ રાજયેશ્વરપણામાં રાજ તો રાજવી નિરંકુશ બની અધર્મના સામ્રાજ્ય તરફ ધસે તેમાં નવાઈ
નથી. ૨૫ આરંભ પરિગ્રહ, ધનધાન્ય અને રાજપાટમાં રક્ત થયેલો રાધેશ્વર ધર્મની ધગશ ન ધરાવે
તે સ્વાભાવિક જ છે. ૨૯ રાજ્યશ્વરપણામાં રદ્ધિમાં રાચેલા, દુર્બસનમાં ડૂબેલા અને ઉદ્ધતાઇથી ઉદ્દામપણે વર્તવાવાળા
લોકોનો જ રાતદિવસ સમાગમ રહે અને તેથી ધર્મકારો તરફ જુએ જ નહિ. ૨૭ રાજ્યેશ્વર થયેલા રદ્ધિમાં મસ્ત બની, ધર્મના શ્રવણને ધિક્કારે અને ધર્મીઓને ધૂતકારે તે
રાધેશ્વર અવસ્થામાં અસંભવિત નથી. ૨૮ કોઇપણ પ્રકારના જીવોનો આરંભ અનેક ભવોમાં અનેક પ્રકારની અનર્થપરંપરાને આપનાર
છે એવો ભાસ થવો તે પણ રાજ્યેશ્વરને મુશ્કેલ છે.