Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર
૫૩૩
મધદેશના
આગમોંઘા
(દેશનાકાર)
ભવનસ
'ભવત
સર્વક
IFedele
જસદણ5.
સત્ય-શિક્ષા સત્ય-શિક્ષા ચેતકઅશ્વ તથા સિંચાણાહાથીની કિંમત શાથી હતી?
મહાનુભાવો ! આ જ આપણે “સત્ય શિક્ષા' ઉપર વિચાર કરવા ઉદ્યત થયા છીએ. એ શિક્ષાની જરૂરિયાત કેટલી ? એ વિચારતાં પહેલાં વિશેષ્ય રૂપ શિક્ષાને અંગે જ પ્રથમ વિચારવું જરૂરી છે. કોઈપણ વસ્તુને અંગે સમજણ મેળવવી તેનું નામ તેને અંગેનું શિક્ષણ છે. ઘોડા ઘોડાની ચાલમાં, હાથી હાથીની ચાલમાં, અને મનુષ્યો મનુષ્યોની ચાલમાં શિક્ષિત થઈ શકે છે. વિશિષ્ટ શિક્ષિત પોતાની સ્થિતિને ઉચ્ચતર બનાવી શકે છે. એક ઘોડાના પંદર હજાર રૂપિયા ઉપજે છે, અને એક ઘોડાને કોઇ મફત પણ લેતું નથી. ઘોડાપણું બેયમાં અખ્ખલિત છે. ઘોડાપણું શિક્ષિત, અશિક્ષિતમાં સરખું છે છતાં મૂલ્યમાં (કિંમતમાં) ફરક છે. મહારાણા પ્રતાપસિંહનો ચેતક ઘોડો વખણાયાનું કારણ? ઘોડાપણા કરતાં તેનામાં વિશિષ્ટતા હતી. જો એ ન હોત તો ખરી આફત વખતે પ્રતાપનો બચાવ થયો તે થાત નહિ. ઘોડામાં શિક્ષણ ગ્રહણ કરવાની શક્તિ સાથે શિક્ષણ ટકાવવાની તાકાત છે. જેટલી કિંમત શ્રેણિક રાજાના રાજ્યની તેટલી કિંમત સિંચાણા હાથીની, એ શાથી? અહીં શંકા થશે કે કવિએ અતિશયોકિત કાં ન કરી હોય અથવા રાજ્યને માટે આપવો હતો તેથી હલ્લવિહલ્લને ફોસલાવવા-પટાવવા શ્રેણિકે વધુ કિંમત કાં ન કરી હોય? પણ એમ નથી. આ વાત પ્રસિદ્ધ છે. એ હાથીને લઇને હલ્લવિહલ્લ ચેડા મહારાજને ત્યાં જાય છે તે વખતે મગધ દેશના તમામ રાજા સાથે કોણિક ત્યાં ચઢી આવે છે. ચેડા મહારાજને પ્રતિજ્ઞા છે કે રોજ એકજ બાણ મારવું (એકથી અધિક બાણ મારવું નહિ.) આખા વિદેહ દેશના રાજાને આવી પ્રતિજ્ઞા છે. કરોડો સૈનિકોની સેના બંને બાજુ એકઠી થઇ.