Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર
૪૯૦
પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ,
માધાનશ્રાદ: ધ્યકલારત્ર વાછંગર આગમોધ્ધારક_
શ્રીસાગરાનંદસૂરીશ્વરજીમ.
પ્રશ્ન ૬૯૮- એક ઘરમાં ધણીધણીયાણી છે. તેમાં સ્ત્રી ખરાબ લક્ષણવાળી છે, તો તેનું પાષણ કરતાં અસંજતિનું પોષણ થયું કે નહિ ?
સમાધાન- શાસ્ત્રોમાં ભોગોપભોગ વ્રતના અતિચારમાં કર્મને આશ્રીને પંદર કર્માદાનો જણાવતાં અસંયતી પાંપણ નામનો કર્માદાન જણાવેલો છે. અસંયતી પોષણ નામનો અતિચાર કોઈપણ સાધુ કે શ્રાવકના વ્રતને અંગે શાસ્ત્રકારોએ કહેલો નથી. જો અસંયતી પોષણને અતિચાર ગણવામાં આવે તો શ્રાવકના પહેલા અણુવ્રતમાં ભક્તપાન વ્યવચ્છેદ નામનો સ્થૂલહિંસાવિરતિને અંગે અતિચાર કહેત જ નહિ. યાદ રાખવું કે માતપાણીના વ્યચ્છેદનો અપાર કુટુંબી, મનુષ્યો અને ઘરના પશુપંખીને અંગે જ છે, અને તે કુટુંબી વિગેરે સર્વ અસંયત જ છે, અને તેઓને ભાત પાણી ન દેવામાં કે દેવા હોય તેમાં અંતરાય કરવામાં અતિચાર માનનારા શાસ્ત્રકારો અસંયત પોષણને અતિચાર તરીકે કહી શકે જ નહિ. આ અસતીપોષણની જગા ઉપર અસંયતી પોષણનો જુઠો બુટ્ટો ઉઠાવનાર બીજા કોઇજ નહિ, પણ પેલા દયાના દુશમનો તેરાપંથીઓ જ છે, અને અક્કલ વગરના કેટલાક તે પંથને નહિ માનનારા પણ તે અર્થ બોલવામાં દોરાયા છે, પણ વાસ્તવિક રીતિએ અસંયતી પોષણ અતિચાર નથી, પણ અસતીપોષણ અતિચાર છે. વળી અસતીપોષણનો અતિચાર હોવાથી જ તે ભોગપભોગવ્રતનો અતિચાર ગણાય, પણ જો અસંયતી પોષણ નામનો અતિચાર હોત તો તે મુખ્યતાએ પહેલા અણુવ્રતનોજ અતિચાર હોય તથા ભોગપભોગ પરિમાણવ્રતમાં પણ અસતીપોષણ નામનો અતિચાર ખોરાકના નિયમોના અતિચારોમાં નહિ ગણાતાં કર્મ એટલે આજીવિકાને અંગે થતા વનકર્માદિક કારણોની માફક અસતીપોષણને પણ આજીવિકાના કારણ તરીકે અતિચાર ગણાવેલો છે. આ બધો અધિકાર વિચારવાથી સ્પષ્ટ સમજાઇ જશે કે આજીવિકા ચલાવવાને માટે દાસી આદિ અસતીઓનું પોષણ કરી કુટ્ટણખાનાં ચલાવી, તેનું ભાડું લેવું તેજ અસતીપોષણ અતિચાર ગણાય. આ ઉપરથી દયાના દુશમનો અનુકંપાદાનના નિષેધને માટે અસતીપોષણની જગા ઉપર અસંયતી પોપણ શબ્દ વાપરી જે અનુકંપાદાનનો નિષેધ કરે છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે તેમજ આર્યની પંક્તિમાં પણ બેસવા લાયક નથી. આવી રીતે પ્રકૃતિ અતિચારનો અધિકાર છતાં સંસારથી વૈરાગ્ય પામેલો કોઇક