Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૧-૦-૩૪.
૪૦
શ્રી સિદ્ધચક એક નિઃસ્વાર્થી પરગજુ ડૉકટર કાપવાની ક્રિયા કરવા છતાં પોતાના આત્મીય પરિણામના આધારે શુભ કર્મ બાંધે છે અને એક કસાઈ પણ કાપવાની ક્રિયા જ કરે છે છતાં પરિણામના આધારે અશુભ કર્મ બાંધે છે. એટલે “માસવા તે રિવી રવી તે માસવા” એ વાકય પરિણામની દૃષ્ટિએ જ કહેવામાં આવ્યું છે. દરેક વાકય બોલવામાં કોઈને કોઈ અપેક્ષા રહેલી હોય છે અને એ અપેક્ષાને બરાબર સમજવામાં ન આવે ત્યાં સુધી આપણે એ વાકયનું ખરું રહસ્ય સમજી શકતા નથી. એક વાકયની અપેક્ષામાં કેટલું મહત્વ રહેલું છે એ નીચેના દૃષ્ટાંતથી સમજી શકાશે. શ્રીભગવતીસૂત્રમાં એક સ્થાને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે સયોગિકેવળી મોક્ષે જાય કે નહિ? ત્યારે ત્યાં ઉત્તર આપવામાં આવ્યો છે કે સયોગિકેવળી કદી મોક્ષે ગયો નથી, જતો નથી અને જશે નહિ. બીજે ઠેકાણે કહેવામાં આવ્યું છે કે સમીતિ જીવ મોક્ષે ગયા છે, જાય છે અને જશે. કેવું વિચિત્ર ? એક તરફ તો સયોગિકેવળીના મોક્ષનો નિષેધ કરાય છે અને બીજી તરફ સમકાતિ મોક્ષે જાય એનું વિધાન કરવામાં આવે છે. શું સમીતિ ભવ્ય, દેશવિરતિ કે સર્વવિરતિ કરતાં સયોગિકેવળી નીચા છે કે તે મોક્ષે ન જાય ? પણ આમ પરસ્પર વિરોધી કે વિચિત્ર લાગતાં વાકયોનો અપેક્ષાની દૃષ્ટિએ વિચાર કરવાનો હોય છે અને એમ કરીએ ત્યારે જ આપણે ગેરસમજણના ભોગ થતા અટકીએ છીએ. સયોગિકેવળી મોક્ષે ન જાય એ પણ સાચું છે, અને સમકાતિ વગેરે મોક્ષે જાય એ પણ સાચું છે. માત્ર બન્ને વાકયો ભિન્ન ભિન્ન અપેક્ષાએ સાચાં છે, નહિ કે એક અપેક્ષાએ. એટલે એ અપેક્ષા જ ખરી રીતે સમજવી જોઇએ. સયોગિકેવળી મોક્ષે ન જાય એનો અર્થ એ છે કે જયાં સુધી જીવને યોગ હોય ત્યાં સુધી એ મોક્ષે ન જઈ શકે. જ્યારે એ યોગનો નાશ થાય ત્યારે જ એ મોક્ષે જઈ શકે. પોતાના મન-વચન-કાયાના યોગને સાથે લઇને કોણ મોક્ષે ગયું છે ? અને સમકાતિ મોક્ષે જાય એમ જે કહ્યું છે તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં ગમે ત્યારે પણ એ જીવ મોક્ષે જાય જ. એટલે ટુંકમાં કહીએ તો સયોગિકેવળીના મોક્ષના નિષેધમાં વર્તમાનકાળની અપેક્ષા છે, અને સમકાતિના મોક્ષના વિધાનમાં ભવિષ્યકાળની અપેક્ષા છે. આ પ્રમાણે દરેક ઠેકાણે જ્યાં સુધી વાકય કહેવાની અપેક્ષા સમજવામાં ન આવે ત્યાં સુધી અર્થનો અનર્થ થતો જ રહે. ખરી રીતે અપેક્ષાવાદ એ જૈનસિદ્ધાંતોનો મુખ્ય આધાર છે. આત્મપરિણતિ.
એટલે બંધ કે નિર્જરાનો મુખ્ય આધાર આત્માની પરિણતિ ઉપર છે. એકજ ક્રિયા કરતાં એને સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રની પરિણતિથી સહચરિત કરીએ તો નિર્જરા થાય અને સમ્યગુજ્ઞાનાદિના સ્થાને સાંસારિક પરિણતિ હોય તો બંધ થાય. રાગ એ બંધનું કારણ છે, પણ જો તીર્થકર ઉપર રાગ રાખીએ તો એનાથી બંધ જરૂર થાય પણ સાથે સાથે શુભ પરિણતિના કારણે નિર્જરા પણ જરૂર થવાની. સંગમદેવે મહાવીર ભગવાનને ઉપસર્ગ કર્યા.