Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૪
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક ૬ સૂમસં૫રાય ને છદ્મસ્થ વિતરાગમાં ચૌદ પરિષહું માનીને જ શ્રીઉમાસ્વાતિ મહારાજે
શ્રીજિનેશ્વરમાં અગિયાર પરિષહ માન્યા છે. છતાં અગિયારનો નિષેધ માનતાં પણ શેષ તો અગિયાર રહેશે, અર્થાત્ અગિયાર પરિષહોનું અસહન વેદનીયજન્ય હોવાથી તે કેવલીમાં પણ હોય છે. અન્યથા છમસ્થ વિતરાગને ચૌદ પરિષહો કેમ હોય? જાતિજ્ઞાન લાયોપથમિક હોવાથી કેવલીને ન હોય તો પણ શીતોષ્ણ વિગેરેના પણ સ્પર્શને ન જાણે ને તે દ્વારા થતી વેદના ન હોય એમ નથી. શું કેવલીને અગ્નિ વિગેરેથી દાહ વિગેરે ન થાય? જો તેમ હોય તો તમારા મતે પણ તીર્થકરોને ઉપસર્ગનો અભાવ માનવો નકામો થાય. કેવલીઓ ઈદ્રિયાતીત હોય તેનો અર્થ એ નથી કે તે પંચેન્દ્રિય નથી, કિન્તુ તે તે ઇન્દ્રિયના વિષયને ચંચલ ક્ષાયિકોપથમિકી દૃષ્ટિથી ન જાણતાં સ્થિરક્ષાયિક દૃષ્ટિથી જાણે છે. એમ ન
કહીએ તો કેવલીઓને કરેલા પ્રશ્ન ને જણાવેલી હકીકતો પણ નકામી ગણાય. ૮ જેને તેને પરિષહો વાસ્તવિક રીતે છે તે જ તત્ત્વાર્થકારે જણાવેલા છે, અન્યથા બાદર સંપરામાં
કહેલ સર્વપરિષહો પણ ઉપચારિત થશે. કર્મમાં ઉતારેલા પરિષહ જો વાસ્તવિક છે તો
ગુણઠાણામાં તેનો અવતાર વાસ્તવિક ન માનવામાં મહાગ્રહ સિવાય બીજો કોઈ હેતું નથી. ૯ પરિષહોનું સહન માર્ગથી નહિ ખસવા તથા નિર્જરા માટે છે એમ તત્ત્વાર્થમાં માવ્યવનનિર્નાર્થમ્ એ સૂત્રથી સ્પષ્ટ છે, નિર્જરાનું કારણ સંવરરૂપ હોય તેમાં આશ્ચર્ય
શું? વળી પરિષહોના અસહનથી કર્મનું આગમન થઈ આશ્રવ થાય અને તેના સહનથી તે રોકાય તે સ્વાભાવિક જ છે. યોગજન્યબંધ મોહનીય સિવાયનો પણ છતાં આશ્રવ તો છે જ, ઈર્યાપથ આશ્રવ નિર્મોહને જ છે. કેવલજ્ઞાનીના ગુણોનો ઘાત ન કરે તો પણ વેદનીયથી વેદના તો થાય, તેમ પરિષહ પણ થાય, ને એજ યુક્તિસંગત ગણાય. શું તલવાર આદિના ઘાથી વેદના નહિ થાય? જો થાય તો તેમાં કારણ વેદનીય એકલું કે મોહસંગત વેદનીય? તપેલા
લોઢાના ઘરેણાંથી ઉપસર્ગ પામેલ પાંડવોની કથા શું કહે છે? ૧૦ ર વિંશત્યિવિના એવું સૂત્ર કરવાથી જનતાની સાથેનો એક શબ્દનો સમાસ અયોગ્ય છે, એક+
અ+દશનો તમારા હિસાબે ઓગણીશની માફક નવ પરિષહો છે એમ અર્થ થશે પણ અગીયાર પરિષહો જ ન હોય એવો નહિ થાય. અને તેવો કરવામાં તત્ત્વાર્થકારથી પહેલાં અગીયાર
માનનારા શ્વેતાંબરો હતા એમ માનવું પડશે. ૧૧ ખારવેલના લેખમાં ચૈતવ બળે એ વાકય શ્વેતાંબરમતના શાસ્ત્રને અનુકૂલ છે, કારણ કે
વૈશાલિનો કોણિકે નાશ કર્યો ત્યારે સુયેષ્ઠા સાધ્વીના સત્યકકુમારના નંદિકેશ વૈશાલિના શેષજનોને માહિષ્મતિમાં લઇ ગયા ને ત્યાંથી નિર્મૂળ થયેલ ચેડા મહારાજાના વંશની વૃદ્ધિ થઈ છે. સ્ત્રીઓને ચારિત્ર નહિ માનનારાઓને તે હકીકત અનુકૂલ નથી તેમ દિંગબરોના શાસ્ત્રોને પણ સાનુકૂળ નથી.