Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(શિવકો
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखै : सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું, તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિધ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીયવર્ષ. )
મુંબઈ, તા. ૧૦-૮-૩૪ શુક્રવાર મુબઈ, તા. '
ત વીર-સંવત્ ૨૪૬૦ અંક ૨૧ મો. | અષાઢ વદિ અમાસ : વિકમ , ૧૯૯૦
. • આગમ-રહય. •
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ છાઘસ્થિક વ્યવહારની પ્રબળતા.
એવી જ રીતે જે સાધુઓની પ્રથમ વડી દીક્ષાઓ થઈ છે, અને તેઓ ભાવપરિણતિએ ઉતરતા હોય, અને તેમના પછી કે કાલાંતરે જેમની વડી દીક્ષા થઈ છે, તેઓ સાધુપણાની ભાવપરિણતિએ ઘણા જ શુદ્ધ હોય તો પણ તે પાછળના ઉપસ્થિતોને પૂર્વના ઉપસ્થિતોને વંદન કરતાં, ગુણહીનને વંદન કર્યાનો દોષ