Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સમાલોચના (ચાલુ) ૧ છે કે ભગવાન હરિભદ્રસૂરિજી શ્રાવક પ્રતિમાઓના વહન સિવાય ચારિત્રની પ્રાપ્તિ માનીને પણ વર્તમાનકાળમાં સંપ વિસેલે એમ કહી વર્તમાનકાળમાં પ્રતિમાના વહનપૂર્વક જ દીક્ષા હોય એમ સ્પષ્ટ જણાવે છે, પણ તેજ ભગવાન હરિભદ્રસૂરિજી એક બે આદિ માસ પ્રમાણોવાળીજ પ્રતિમાઓ હોય એમ નહિ માનતાં પ્રવજિત થનારા આદિ માટે અંતર્મુહૂર્તની પણ પ્રતિમાઓ માને છે, અને તેથી તેવા લઘુકાળની પ્રતિમાઓ વહન કરવા પૂર્વકની દીક્ષા માનવામાં કોઈપણ શાસનપ્રેમીને અડચણ નથી, તો પણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી તેમજ ખુ ભગવાન હરિભદ્રસૂરિજી પણ અષ્ટ વર્ષની ઉંમરે દીક્ષા માનનારા હોઈ કોઈ તેવા મંદ થયોપશમવાળાને એ પ્રતિમા વહનપૂર્વકની દીક્ષાનો નિયમ લાગુ થાય છે ને એ વાત ઉપાધ્યાયજી સ્પષ્ટ જણાવે પણ છે, તેથી એમ સમજી શકાય કે સંસારવાસમાં નહિ પ્રવર્તેલા અને અભુક્તભોગી બાળકોને તીવ્ર વિર્ય ઉલ્લાસ હોવાથી પ્રતિમા વહનની જરૂર ન હોય. (આ સ્થાને પૃચ્છા, કથનાદિકના પુરાવા આપી પ્રતિમા વહનનો અનિયમ ઉત્તર ગ્રંથથી બાધિત અને સામાન્યરૂપ હોવાથી અસ્થાને છે, અને ષામાસિક પરીક્ષાનો પણ અતિદેશ સામાન્યરૂપ હોવાથી આચાર અંગીકારરૂપ વિશેષ પરીક્ષાને બાધિત કરતો નથી અને ઉપસ્થાપના પહેલાંની વાડમાસિક આદિ પરીક્ષારૂપ પ્રવચનોક્ત સ્વસ્થાનને ખસેડતો નથી) (અભકત્તભોગી બાળકને પંચમપ્રતિમામાં માત્ર દિવસનું અબાવર્જન, છઠ્ઠીમાં રાત્રિદવસ અબ્રહ્મવર્જન, આઠમીમાં કૃષિ આદિ આરંભને સ્વયં કરવાનો ત્યાગ અને નવમીમાં તેવા આરંભોમાં નોકરચાકરને પ્રવર્તાવવાનો ત્યાગ એ સંભવિત ન
હોય એ સહેજે સમજાય તેવી બિના છે.) ૨ શ્રી પંચાશકમાં પચાસથી અધિક ગાથા ન હોવાથી ગાથાનો આંક ૬૬ હોય નહિ ને તે અંક ૪૬ છે. ૩ પ્રતિમાનો નિયમ ૪૯ભી ગાથામાં વર્તમાનકાળને અંગે કરેલો હોઈ તેના સમાધાનને માટે ૪૬મી
ગાથા કે પૂર્વકાળના શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો પાઠ આપવો અસ્થાને છે. ૪ વાનાવાવિવI પ્રતિમાનુBનતિUIfપ પતતુશિરે તાવળાયત અત્યપિ શબ્દાર્થ: એવા ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીના સ્પષ્ટ લેખથી બાળકોને પ્રતિમાની જરૂર નથી સ્વીકારી તેમજ અંત્ય ગાથામાં પણ આનો ખુલાસો નથી કર્યો એ સ્પષ્ટ છે.
(જૈન પ્રવચન)
૧ બકુશકુશીલમાં બધા ઉત્સર્ગ કે બધા અપવાદ હોવાનો પાઠ કયો? ૨ ઉત્સર્ગનું પ્રવર્તન હોય તો જ અપવાદનું પ્રવર્તન હોય તેવો પાઠ કયો? ૩ બકુશકુશીલપણામાં બધાં મહાવ્રતોની અપ્રતિષેવી દશા છે? ૪ પ્રત્યાખ્યાન કર્યા પછી પણ અતિક્રમાદિ લાગે તેમાં કર્મોદય કારણ ખરો કે? ૫ વસીર્દિ તિ€ એ પાઠ શાસ્ત્રાનુસારી છે કે ? ૬ યથાખ્યાતચરિત્રની અપેક્ષા બકુશાદિ તેવા હોય તેમાં કોણ ના કહે? ૭ કુશીલનામના નિગ્રંથો અને કુશીલનામના કુગુરુનો ભેદ સમજવાની જરૂર છે. (જૈન જ્યોતિ)