Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૬-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર ૧ આઠની અંદર વિરતિપરિણામ ન હોય એ કથન ઉપદેશથી થતા પરિણામને આભારી છે, અર્થાત
ભવાંતરીયજ્ઞાન કે તેવા કારણોને તે અધિકાર લાગુ પડતો નથી એમ શ્રીમેઘવિજયજી ઉપાધ્યાયજી
સ્પષ્ટ જણાવે છે. ૨ એક પક્ષે કહેલ જન્માષ્ટની દીક્ષાને રાજમાર્ગ ઠરાવવાથી ગર્ભાસ્ટમ કે જન્માષ્ટમની દીક્ષાને અધર્મ
કહેનારા વિપરીત વિચારવાળા છે એમ કેમ નહિ? ૩ શ્રાવકસંઘની સત્તા માન્ય ન રાખી, સંઘની વિનંતિ ન હતી, સમિતિમાં અમુક મુનિ નીમ્યા,
જાહેર નગરશેઠની મહેનત છતાં સંમેલનનું ઉલારિયું કરવાવાળાને સફળ કરનાર ગણાવવા વગેરે વાતો હોળી નહિ સળગાવનારને શોભતી નથી.
(વીરશાહ) ******* ૧ લાંબા તાડપત્ર ઉપરથી વ્યાખ્યાન વાંચવા વખતે પૂર્વપુરુષોએ મુહપત્તિ બાંધી, અને તે એક હાથે
પાનાં વંચાય તેવી પ્રતોના વખતમાં ચાલુ રહી, પણ તે નીકળી જવી યોગ્ય હોઈ નીકળી ગઈ
છે એમ માનવું શું ખોટું છે. ૨ ચર્ચાસારના ત્રણે ફોટા ઓઠ મુહપત્તિના છે માટે તે કલ્પિત અને જુઠા હોઈ લેખક અને પ્રકાશકને
નુકશાન કરવા સાથે ધર્મને હાનિ કરનાર છે. ૩ પ્રદર્શનમાં સેંકડો પ્રતોમાં હજારો ચિત્રો વ્યાખ્યાન પ્રસંગનાં હતાં ને તેમાં એકમાં મુહપત્તિબંધન
ન હોતું. ૪ ત્રણ ત્રણ ચાર ચાર કલાક બાંધીને વાંચનારા આખો દિવસ મુખ બાંધનારને સંમૂચ્છિમ મનુષ્યની
હિંસા કરનાર કેમ કહેશે? ૫ અણુવ્રતધારીને પણ અતિચાર કરનાર એવો કર્ણવેધ સાધુને પણ કદાચ અનુચિત છતાં કરવો
પડશે.
૬ એકપણ શાસ્ત્રપાઠ વ્યાખ્યાનના મુહપત્તિબંધનને વિહિત કરતો નથી. (શીલાંકાચાર્ય ને જિનભદ્રની
વિધિપ્રપા કયા ભંડારમાં છે?) (ચર્ચાસારમાં ખોટા અર્થો અને ખોટા પાઠો છે.).
૭ પંચવસ્તુમાં ૯૫૭મી ગાથાની ટીકામાં મુસ્ત્રિજ્યા વિધહીતી તિમુવમતઃ એ પદો
હાથમાં પકડેલી મુહપત્તિથી જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટપણે લખે છે.