Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૧૫
તા.૨૬-to-૩૪
શ્રી સિદ્ધયક ૨૪ કુંદકુંદાચાર્યનો સમય વિક્રમની પ્રથમ શતાબ્દી હતો એમ કહેવું એ ઇતિહાસનું તેમજ સમયસાર
આદિની પ્રસ્તાવવાનું અજ્ઞાન જણાવે છે. ર૫ તત્ત્વાર્થ સૂત્રકાર શ્વેતાંબર છે અને તેઓ તો અંગના બાર ભેદોમાંથી એકેનો વ્યુચ્છેદ થયો કહેતા
નથી અને અનેકભેદે અંગબાહ્ય એવાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિની હૈયાતી સૂચવે છે. (દિગંબરોના મતે દશવૈકાલિક જેવાં આઠ વર્ષના બાળક છ માસમાં ભણે તેવાં ને ઉત્તરાધ્યયન જેવાં નાનાં સૂત્રો જે પૂર્વાચાર્યોનાં હતાં તે પણ બધાં વિચ્છેદ થઈ ગયાં, ને પખંડાગમ જેવાં ગણધર કે સ્થવિર સિવાયનાં કરેલાં સામાન્ય શાસ્ત્રો ટકાવવા તેમના આચાર્યોએ મહેનત લીધી.
તત્ત્વથી અપ્રમાણિકને એમ કહેવું જ પડે છે કે મારા ચોપડા જ ગુમ થયા છે.) ર૬ ન્યાયાવતારમાં પ્રમાણોના સ્વરૂપમાં આગમપ્રમાણ જણાવતાં ગાતોપણ૦ શ્લોક બરોબર બંધ
બસેતો નથી એવું કહેનારે વસ્તુનું સ્વરૂપ જોવા કદાગ્રહનાં ચશમાં કાઢી નાંખી કોઈ મધ્યસ્થષ્ટિ પાસે આંખો સુધરાવી લેવી. સમંતભદ્રને એવી રીતે શ્રી સિદ્ધસેનદિવાકરજીથી પ્રાચીન એમ નહિ
ઠરાવી દેવાય. (રત્નકરંડકમાંજ તે શ્લોક આગંતુક છે એમ મધ્યસ્થીને માલમ પડશે.) ૨૭ ઓસવાલો પૂર્ણતયા શ્વેતાંબરો છે એ વાત જેમ સિદ્ધ છે તેવી જ રીતે અનેક શિલા લેખોથી
પલ્લીવાલ લોકો શ્વેતાંબર છે એ વાત સિદ્ધ છતાં ન માનનારને પલ્લીવાલોના અનેક શ્વેતાંબર
શિલાલેખોના ઉત્તર દેવા અમારું નિમંત્રણ છે તે સ્વીકારે. (જેને દર્શન ૧/૨૨) ૨૮ વિક્રમની પ્રથમ શતાબ્દીમાં શાસ્ત્ર લખાયું એ પુરાવા વિનાનું છે. વળી તે ગ્રંથની સમાપ્તિના
ઉપલક્ષ્યમાં શ્રુતપંચમી છે એ તથા જેષ્ઠ શુકલપંચમીનો તે દિવસ છે તે સર્વ પ્રમાણથી દૂર છે. શ્વેતાંબરો તો ચતુર્માસની સમાપ્તિમાં ભંડારોના પુસ્તકરૂપ જ્ઞાનના આવિષ્કારને અંગે કાર્તિક શુકલપંચમીને જ્ઞાનપંચમી, સૌભાગ્યવપંચમી, કે શ્રુતપંચમીના નામે વર્તમાનમાં પણ આરાધન
કરે છે. ર૯ દિગંબરોના જ શાસ્ત્રોમાં આચેલકયાદિ દશ પ્રકારનો કલ્પ તથા સ્થિતાસ્થિતપણું છતાં જેઓ તે
ન માને તેને દિગંબરગ્રંથની શ્રદ્ધા પણ કેમ હશે? ભગવાન પાર્શ્વનાથજીના શાસનમાં સચેલક અને અચલકપણે બંને હતાં તે ચર્ચાકારે સમજવું જોઈએ તથા વાસ્તવિક ને ઉપચરિત અચેલકપણે પણ સમજવું જોઈએ. શ્વેતાંબરો જિનકલ્પનો વિચ્છેદ શ્રીજંબૂસ્વામીજીના નિર્વાણથી માને છે. શ્રીભદ્રબાહુ વખતે જિનકલ્પ હતો એમ કોઈ માનતું જ નથી. ૩૧ દિગંબર શબ્દમાં વપરાયેલો અંબર શબ્દજ દિગંબરોની નવીનતા સવસમતમાંથી નિર્ગમન સૂચવીને જણાવે છે. (જૈન દર્શન ૨૩મો અંક) ઘોષનંદિ ક્ષમાશ્રમણ શ્વેતાંબર હતા એમ તત્ત્વાર્થ ભાષ્યથી સ્પષ્ટ છે, તેથી ગુહનંદિ આચાર્ય શ્વેતાંબર મનાય. વળી લેખમાં કુલ માટે કાશી શબ્દ માટે રૂથ એમ નથી, પણ પહેલાં જે ચાં છે ત્યાં જ એમ વાંચી સાંવરી શાખા જે કલ્પસૂત્રમાં જણાવી છે તે લેવી જોઇએ. (જૈનજ્યોતિ)
*******